આ 3 રાશિવાળા માટે આવનારા 44 દિવસ વરદાન જેવા રહેશે, 'ન્યાયના દેવતા' કરશે માલામાલ! સુખ-સમૃદ્ધિથી ઝોળી ભરશે

ઓગસ્ટ મહિનામાં ન્યાયના દેવતા શનિદેવ ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે. જેનો શુભ અશુભ પ્રભાવ મેષથી લઈને મીન રાશિ સુધી જોવા મળશે. જાણો કોના પર શુભ પ્રભાવ જોવા મળશે?
 

1/5
image

વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે શનિદેવ જાતકોને તેમના કર્મોના આધારે સારા ખરાબ ફળ આપે છે. શનિદેવ ખુબ ધીમી ચાલ ચલે છે. તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. જેનાથી જાતકો પર લાંબા  સમય સુધી શુભ અશુભ પ્રભાવ જોવા મળતો હોય છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં જ જોવા મળશે. પરંતુ સમયાંતરે નક્ષત્ર બદલતા રહે છે. વૈદિક પંચાંગ મુજબ 6 એપ્રિલના રોજ શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ્યા હતા. 12મી મેના રોજ શનિદેવ પૂર્વાભાદ્રપદના બીજા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે 18 ઓગસ્ટના રોજ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં ગોચર કરશે તથા 3 ઓક્ટોબર સુધી આ જ ચરણમાં રહેશે. શનિની ચાલમાં આ ફેરફાર કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.   

મિથુન રાશિ

2/5
image

ઓગસ્ટ મહિનામાં શનિદેવની મિથુન રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. આ દરમિયાન તમારી લાઈફમાં પોઝિટિવિટી આવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. કરિયરમાં મહત્વની સફળતા મેળવશો. નોકરીયાતોને પ્રગતિની નવી નવી તકો મળશે. કૌટુંબિક જીવનમાં ખુશહાલી આવશે. 

કન્યા રાશિ

3/5
image

શનિ ચાલ બદલીને કન્યા રાશિવાળાને કરિયરમાં આવતી બાધાઓ દૂર કરશે. આ દરમિયાન તમે નવી નોકરી વેપારમાં ખુબ પ્રગતિ કરશો. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે. દરેક કાર્યમાં ઈચ્છિત પરિણામ મેળવશો. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો  થશે. 

કુંભ રાશિ

4/5
image

શનિની ચાલમાં આ ફેરફારથી કુંભ રાશિવાળાને મહાલાભ થશે. આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી મુક્તિ મળશે. કોટુંબિક જીવનમાં ખુશીઓ અને ઉત્સાહનો માહોલ રહેશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ તથા ખુશહાલી આવશે. નોકરી વેપારમાં પ્રગતિની નવી તકો મળશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.