Raksha Bandhan 2024: રક્ષાબંધન પર 90 વર્ષ બાદ બનશે દુર્લભ શુભ સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ચમત્કારિક ફાયદા થશે

આ વર્ષે રક્ષાબંધન ખુબ જ ખાસ છે. કારણ કે રક્ષાબંધનના દિવસે અનેક દુર્લભ સંયોગ બની રહ્યા છે. જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધને આ દુર્લભ યોગ કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો. 
 

1/7
image

રક્ષા બંધન 19 ઓગસ્ટ 2024ના દિવસે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ,રવિ યોગ, શોભન યોગ, શશ રાજયોગની સાથે શ્રવણ નક્ષત્ર પણ હશે. 

2/7
image

શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમાના સ્વામી શિવજી છે. ખાસ વાત એ છે કે આ દિવસે શિવને પ્રિય એવો સોમવાર પણ છે. આવામાં જાતકોને શિવ કૃપા પણ મળશે. આ શુભ સંયોગ 90 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે. 

ધનુ રાશિ

3/7
image

ધનુ રાશિવાળા માટે રક્ષાબંધન ખુશીઓ લઈને આવશે. ભૌતિક સુખમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયગાળામાં રોકાણ કરવું લાભકારી રહેશે. કામની પ્રશંસા થશે. આવકના સ્ત્રોત વધશે. 

મેષ રાશિ

4/7
image

મેષ રાશિના જાતકોને રક્ષાબંધનનો તહેવાર સુખ પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાઈ બહેનને ભોળેનાથના આશીર્વાદ મળશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. 

કન્યા

5/7
image

રક્ષાબંધન પર કન્યા રાશિવાળાને ધનલાભના યોગ છે. વેપારનો વિસ્તાર થશે. નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળશે. 

મીન રાશિ

6/7
image

મીન રાશિના લોકો માટે રાક્ષાબંધન  ખુબ જ લકી સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં સુધાર થશે. મહાદેવની કૃપાની સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા વરસશે. કોઈ જૂના રોકાણ કે પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. કમાણીનો દાયરો વધશે. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.