Hypersomnia: વધારે ઊંઘવાના કારણે પણ થઇ શકે છે ડિપ્રેશન, દૂર રહો આ બીમારીઓથી

સારી ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. તેનાથી આપણા બ્રેઇન સ્વસ્થ રહે છે અને એનર્જી પણ રીસ્ટોર (Restore) કરે છે. ઊંઘ ન આવી આજ-કાલના લોકો માટે સમાન્ય વાત થઈ ગઇ છે. તેનાથી આપણું શરીર ઘણા પ્રકારની બીમારીઓથી ઘેરાઈ જાય છે

નવી દિલ્હી: સારી ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. તેનાથી આપણા બ્રેઇન સ્વસ્થ રહે છે અને એનર્જી પણ રીસ્ટોર (Restore) કરે છે. ઊંઘ ન આવી આજ-કાલના લોકો માટે સમાન્ય વાત થઈ ગઇ છે. તેનાથી આપણું શરીર ઘણા પ્રકારની બીમારીઓથી ઘેરાઈ જાય છે. ઉંઘ ઓછી આવે તો બીમારીનું ઘર છે, સાથે જ જરૂરીયાતથી વધારે ઊંઘ આવવી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારકક છે. ઊંઘ ઓછી આવવાની બીમારીને ઈનસોમનિય (Insomnia) કહેવાય છે. આજ પ્રકારે ઊંઘ વધારે આવવાની બીમારીને હાઈપરસોમનિયા (Hypersomnia) કહેવાય છે. જો તમે જાણીને સૂઈ જાઓ છો તો તમે આ બીમારીનો શિકાર નથી. જો કે, તમને દર સમયે ઊંઘ આવે છે તો તમારા માટે આ મુશ્કેલી ઉભી કરી શકે છે.

કેટલી ઊંઘ છે જરૂરી

1/5
image

સારા સ્વાસ્થ્ય અને તાજગી માટે 8થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. શહેરમાં લોકો 6-7 કલાક ઊંઘે છે, પરંતુ કેટલાક લોકોને વધારે ઊંઘવાની આદત હોય છે. તેમને જ્યારે પણ સમય મળે છે, તેઓ પથારી પર પડી રહે છે. વધારે સુઈ રહેવું સ્થુળતાનો શિકાર બનાવે છે. જરૂરિયાત કરતા વધારે ઊંઘ લેવાના કારણે લોકો ઘણી બીમારીઓનો શિકાર રહે છે. તેઓ ઊંઘ આગળ ખાવા-પીવા અને ફિઝિકલ એક્સરસાઇઝ (Physical Exercise)ને સ્કિપ કરે છે. તેના કારણે શરીર ઘણી બીમારીઓની ગિરફ્તમાં આવી જાય છે. લોકડાઉન (Lockdown)ના કારણે ઘર પર બેઠા બેઠા લોકોને બીમારઓએ પોતાની ગિરફ્તમાં લઈ લીધા છે.

આ બીમારીઓથી કેવી રીતે રહીએ દૂર

2/5
image

કબજિયાત એક એવી મુશ્કેલી છે જે તમારી સંપૂર્ણ બોડી સિસ્ટમને પ્રભાવિત કરે છે. ગેસ અને એસિડિટી કબજિયાતના કારણે થાય છે. પેટની સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે સય પર ઉઠવું અને ઊંઘવું જરૂરી છે. યોગ્ય સમય પર બોડી મૂવમેન્ટ તમને કબજિયાતથી દૂર રાખે છે. તમારી સ્થુળતા સીધી અસર તમારા ખાવા-પીવા અને ઊંઘથી છે. જે લોકો વધારે ઊંઘે છે, તેમની કેલેરી બર્ન થતી નથી, જેના કારણે તેમની સ્થુળતા વધતી રહે છે. ઘણા સંશોધનમાં આ વાત સામે આવી છે કે, વધારે ઊંઘવાથી ઘણા પ્રકારની મનોવૈજ્ઞાનિક બીમારીઓનો ખતરો વધી જાય છે.

વધારે ઊંઘવાથી વધે છે માથાનો દુખાવો

3/5
image

વધારે ઊંઘ કરવાથી ઘણી વખત માથામાં દુખાવો (Headache) થવાની ફરીયાદ રહે છે. માથાના દુખાવો મગજમાં ન્યુરોટ્રાન્સમીટર (Neurotransmeter)માં ઉતાર-ચઢાવ આવવાના કારણે થાય છે. તેમાં ઊંઘ દરમિયાન સેરોટોનિન (Serotonin) વધી શકે છે, જેનાથી માથાનો દુખાવો થયા છે.

કમરમાં દુખાવો વધવાનું કારણ

4/5
image

તમે 8 કલાકથી વધારે સમય સુધી પથારીમાં ઊંઘી રહો છો તો તમારા શરીરમાં લોહીના પ્રવાહ પર ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી પથારી પર રહેવાથી પીઠ અકડાઈ જાય છે અને કમરમાં દુખાવાની ફરીયાદ રહે છે. જરૂરી છે કે તમે 7-8 કલાકની ઊંઘ અને સવારે વ્યાયામ જરૂર કરો.

ડિપ્રેશનનો શિકાર

5/5
image

વધારે ઊંઘવાથી તમે ડિપ્રેશન (Depression)નો શિકાર થઈ શકો છો. વધારે સમય સુઈ રહેવાથી મગજમાં ડોપામાઈન (Dopamine) અને સેરોટોનિન (Serotonin) હોર્મોન્સનું લેવલ ઘટી જાય છે. આ હોર્મોન્સ તમને ખુશી અનુભવ કરાવે છે. તમારું વધારે ઊંઘી રહેવાથી તમારો મૂડમાં દિવસભર ચીડિયાપણું જોવા મળે છે.