Nawazuddin Siddiqui પહેલા આ બોલીવડ સેલેબ્સના ઘરની લડાઈ આવી હતી લાઇમલાઇટમાં

Celebs Family Fight Came in Limelight: નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરનો ઝગડો આ દિવસોમાં રસ્તા પર આવી ગયો છે અને તેના પરિવારની ખેંચતાણ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ માત્ર નવાઝુદ્દીન જ નહીં પરંતુ આ પહેલા ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝના ઘરની લડાઈ લાઇમલાઇટમાં આવી ચુકી છે.

ગોવિંદા-કૃષ્ણનાનો ઝગડો છે જગજાહેર

1/5
image

ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચેનો ઝગડો જગજાહેર છે. પરિવાર વચ્ચે ગેરસમજણને કારણે બંને વચ્ચે વર્ષોથી વાતચીત બંધ છે. પરંતુ કૃષ્ણા આ સંબંધ સુધારવા ઈચ્છે છે પરંતુ ગોવિંદા તરફથી લીલીઝંડીની રાહ જોઈ રહ્યો છે પરંતુ તેના વચ્ચેની લડાઈ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે. 

 

 

અમીષા પટેલે છોડ્યુ હતું ઘર

2/5
image

અમીષા પટેલની તેના માતા-પિતા સાથેની લડાઈ વિશે બધાને ખબર હતી. હકીકતમાં, પરિવારના સભ્યોને અમીષાના વિક્રમ ભટ્ટ સાથેના સંબંધો પસંદ નહોતા, જેના કારણે તેઓ અમીષાને ઘણી વખત મારતા પણ હતા. આખરે, કંટાળીને અભિનેત્રીએ તેના માતાપિતાનું ઘર છોડી દીધું હતું.

પ્રોપર્ટીને લઈને આમિર-ફૈઝલમાં વિવાદ

3/5
image

આમિર ખાન અને તેના ભાઈ ફૈઝલ ખાન વચ્ચે સંબંધ સારો નથી આ આ સત્ય છુપાયેલું નથી. સંપત્તિને લઈને બંને ભાઈઓ વચ્ચે વિવાદ છે. ફૈઝલ આરોપ લગાવતો રહે છે કે આમિર ખાને તેના ભાગની સંપત્તિ પચાવી પાડી છે. 

 

 

રાજ બબ્બર-પ્રતીક બબ્બરમાં હતો મનભેદ

4/5
image

રાજ બબ્બરે સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા અને નાદિરા બબ્બરને છોડી દીધો પરંતુ જ્યારે સ્મિતા પાટીલનું અવસાન થયું ત્યારે રાજ બબ્બર જૂના પરિવારમાં પાછો ફર્યો અને પ્રતિક બબ્બરને તેના પિતા સાથે પણ એવી જ ફરિયાદ હતી. તેના કહેવા પ્રમાણે, તેના પિતાએ નાનપણથી ક્યારેય તેની કાળજી લીધી ન હતી, તેથી બંને વચ્ચે હંમેશા અણબનાવ રહેતો હતો. પરંતુ સમયની સાથે સંબંધો સુધર્યા.

વર્ષો સુધી ન કરી બંનેએ વાત

5/5
image

અર્જુન કપૂરને તેના પિતા બોની કપૂર સાથે આવા ખાટા સંબંધો હતા જેમણે તેના બીજા લગ્ન માટે તેની પ્રથમ પત્ની અને બાળકોને છોડી દીધા હતા. જેના કારણે અર્જુન ઘણા વર્ષો સુધી તેના પિતાથી નારાજ રહ્યો અને આ વાત બધાને ખબર હતી. પરંતુ શ્રીદેવીના મૃત્યુથી આખો પરિવાર ફરી એક થઈ ગયો