અનોખી મિસાલ છે આ મુસ્લિમ યોગગુરુ, રોજ યોગ કરવાની ખાસ આપે છે સલાહ, જુઓ PHOTOS

આજે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે એક મુસ્લિમ યોગ ગુરુની વાત કરવી જરૂરી બને છે. 

મુંબઈ: આ મુસ્લિમ યોગ ગુરુ મંસૂર બલૂચ જાત-પાત, ધર્મ, સમુદાયથી ઉપર ઉઠીને દરેક જણને યોગ કરવાની સલાહ આપે છે. મુસ્લિમ યોગ ગુરુ મંસૂર બલોચનું માનવું છે કે યોગ આપણા શરીરની જરૂરિયાત છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો ખુબ જરૂરી છે. તેમણે પીએમ મોદીના પણ યોગ દિવસની ઉજવણીના નિર્ણયના વખાણ કર્યાં. 

પીએમ મોદીના કારણે યોગ થયો લોકપ્રિય

1/6
image

યોગ ગુરુ મંસૂર કહે છે કે યોગ આપણા ભારત દેશમાં આદિકાળથી છે પરંતુ તેને લોકપ્રિયતા મોદીજી સત્તામાં આવ્યાં પછી મળી અને ખાસ કરીને જ્યારે વિશ્વ યોગ દિવસની તારીખ નક્કી થઈ ત્યારથી લોકોમાં યોગ પ્રત્યે પ્રેમ અને સન્માન વધ્યું છે અને લોકોએ ખુલ્લે હાથે તેનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે. 

મુંબઈમાં ચલાવે છે ઈન્સ્ટિટ્યૂટ

2/6
image

યોગ પ્રત્યે દેશમાં આવેલા જાગરૂકતાના કારણે હવે મુંબઈમાં રહેતો મુસ્લિમ સમુદાય ખોટા ભ્રમને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છે અને મંસૂર પોતે યોગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મુસ્લિમ સમુદાય વચ્ચે યોગ ક્રાંતિ લાવી રહ્યા છે.

સૂર્ય નમસ્કાર પર કોઈ આપત્તિ હોવી જોઈએ નહીં

3/6
image

સામાન્ય રીતે મુસ્લિમ સમુદાયમાં સૂર્ય નમસ્કાર પ્રત્યે આપત્તિ હોય છે. પરંતુ મંસૂર બલોચનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર પ્રત્યે કોઈ આપત્તિ હોવી જોઈએ નહીં અને તેને એક પોશ્ચર તરીકે કરવું જોઈએ. ઈસ્લામ હંમેશા સ્વસ્થ રહેવા માટે અગ્રસર છે. 

બુરખો પહેરીને આવે છે મહિલાઓ યોગ શીખવા માટે

4/6
image

યોગગુરુ છેલ્લા કેટલાક વર્ષોથી યોગા કરે છે અને મુંબઈમાં ન્યૂ એજ હોટ યોગા નામની એક ઈન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે. બલોચે જણાવ્યું કે તેમની યોગ ઈન્સ્ટિટ્યૂટમાં મુસ્લિમ સમુદાયના ઘણા સ્ટુડન્ટ્સ આવે છે, બુરખો પહેરીને પણ ઘણી મહિલાઓ યોગ શીખવા માટે આવે છે. 

યોગથી જીવનમાં પરિવર્તન આવે છે

5/6
image

યોગ કરનારા યોગીઓનું માનવું છે કે યોગના કારણે તેમની જીવનશૈલીમાં ખુબ પરિવર્તન આવ્યું છે. તેનાથી માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ તેઓ સ્વસ્થ હોવાનો અનુભવ કરે છે. કેટલાક લોકો છેલ્લા સાત-આઠ વર્ષથી યોગની તાલીમ લઈ રહ્યાં છે, જ્યારે કેટલાક ન્યૂકમર્સ યોગથી થતા ફાયદાને જોઈને આવનારા અનેક વર્ષો સુધી યોગ કરવાની વાત કરે છે.   

યોગને લઈને વિવાદ વચ્ચે તેઓ બન્યા એક મિસાલ

6/6
image

જ્યાં દેશભરમાં હિન્દુ મુસ્લિમ, ધર્મ, સમુદાય, જાત-પાતના નામ પર યોગને વિભાજિત કરીને સૂર્ય નમસ્કારને વિવાદમાં લાવવામાં આવે છે. આ બધા વચ્ચે આશાનું એક કિરણ બનેલા યોગ ગુરુ મનસૂર બલોચે છેલ્લા 10 વર્ષથી લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા લાવવાનું કામ કર્યું છે જે મોટી મિસાલ છે.