23 એપ્રિલથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, મંગળ દેવની કૃપાથી દૂર થશે દુખ-દર્દ, જીવનમાં મનાવશો જશ્ન

Mangal Ka Rashi Parivartan Mars Transit In Pisces: 23 એપ્રિલે મંગળ દેવ કુંભ રાશિથી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. મંગળને બધા ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ કહેવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત છે. તે મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. મંગળના મીન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોનું ભાગ્યોદય થવાનો છે. આ રાશિના જાતકો માટે 23 એપ્રિલ બાદનો સમય શુભ રહેવાનો છે.

મેષ રાશિ

1/6
image

આ ગોચર તમારા પક્ષમાં રહેશે અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ફળયાદી રહેશે. માતા-પિતાને પોતાના બાળકોથી શુભ સમાચાર મળશે અને બંને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. પ્રેમી લોકો માટે આ સમય અનુકૂળ રહેશે નહીં અને તે પોતાના પ્રેમ જીવનમાં ક્રોધ અને અહંકારની સમસ્યાનો અનુભવ કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો તે સારી રહેશે. સાથે પ્રોફેશનલ્સને તેની મહેનતનું ફળ મળશે.

વૃષભ રાશિ

2/6
image

આ ગોચર તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. ભાઈ બહેન તમારૂ સમર્થન કરશે પરંતુ તમારા બંને વચ્ચે અહંકાર સંબંધિત મુદ્દા હોઈ શકે છે. નાના અંતરની યાત્રાનો યોગ છે. લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે. પિતાની સાથે તમારો સંબંધ સારો રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લેશો.  

મિથુન રાશિ

3/6
image

આ ગોચર તમારા પક્ષમાં કામ કરશે તમારા મનમાં એવા વિચાર આવશે જે પ્રોફેશનલ રૂપથી તમારી મદદ કરશે, ખાસ કરીને તે લોકો માટે જે નાણાકીય ક્ષેત્રમાં છે. આ દરમિયાન તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વાત કરીએ તો આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખો જેથી કોઈને ઠેસ ન પહોંચે. જે વિદ્યાર્થીઓ રિસર્ચ કાર્યમાં લાગેલા છે તેને આ ગોચરથી લાભ થશે.

સિંહ રાશિ

4/6
image

કરિયરની દ્રષ્ટિએ તમને તક મળશે. જો તમે સરકારી ક્ષેત્રમાં નોકરી કરો છો તો તમને લાભ થશે. વેપારીઓને આ દરમિયાન નફો થશે અને સરકારી અધિકારીઓથી તેને લાભ થશે. તમારે તમારી ટીકાને સકારાત્મક રૂપથી લેવા અને નબળાઈઓ પર કામ કરવાની જરૂર છે.

કન્યા રાશિ

5/6
image

આ દરમિયાન ભાગ્ય તમારા પક્ષમાં કામ કરશે અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યું છે, તેને વિદેશ જઈને નવી તક હાસિલ થવાનો લાભ મળશે. તમને પિતા અને નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમે ધાર્મિક કારણોથી કોઈ તીર્થ સ્થળની યાત્રા કરી શકો છો. શિક્ષણ અને માર્ગદર્શક આ સમય દરમિયાન બીજાને પ્રેરિત કરી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.