27 ડિસેમ્બરથી આદિત્ય મંગળ રાજયોગથી આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, 2024માં પૈસાથી ભરેલી રહેશે તિજોરી

Mangal Gochar: વર્ષના છેલ્લા દિવસોમાં મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. 27 ડિસેમ્બર 2023ના મંગળ ધન રાશિમાં ગોચર કરશે. 16 ડિસેમ્બર 2023થી સૂર્ય ધન રાશિમાં છે. મંગળના ધન રાશિમાં પ્રવેશ કરવાથી આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેના શુભ પ્રભાવથી કેટલાક જાતકોને વર્ષ 2024 સુધી શુભ પરિણામ મળશે. જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, ભૂમિ, ઉર્જા અને શૈર્યનો કારક માનવામાં આવે છે. મંગળના ધન રાશિમાં ગોચર કરવાથી આ જાતકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. આવો જાણીએ આદિત્ય મંગળ રાજયોગના નિર્માણથી કયાં જાતકો માટે શુભ સમય રહેશે. 

મિથુન રાશિ

1/6
image

કરિયરમાં પ્રગતિની નવી તક મળશે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. કારોબારમાં વિસ્તાર થશે. ધન-સંપત્તિમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

સિંહ રાશિ

2/6
image

વેપારમાં નફો મળશે ખર્ચ વધુ રહેશે. સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરો. મિત્રોના સહયોગથી ધન લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે.   

તુલા રાશિ

3/6
image

પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. નોકરી-કારોબારમાં પ્રગતિની તક મળશે. આવકના નવા સ્ત્રોતથી ધન-સંપત્તિમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે.  

ધન રાશિ

4/6
image

લગ્ન જીવન સુખમય રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.  

મીન રાશિ

5/6
image

કરિયરમાં નવી સિદ્ધિઓ મળશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ધન-સંપત્તિમાં વધારાનો યોગ બનશે. આર્થિક મામલામાં સમય સારો રહેશે. પારિવારિક જીવનમાં માહોલ ખુશીભર્યો રહેશે. આવકના નવા માર્ગ ખુલશે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.