Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા

Mahashivratri 2024: એવું માનવામાં આવે છે કે મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથની વિશેષ પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. બધા ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ચઢાવે છે, પરંતુ શિવલિંગની પૂજામાં કેટલીક ખાસ અને જરૂરી વસ્તુઓ છે જે જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રી પૂજા સાથે જોડાયેલી 5 જરૂરી વસ્તુઓ વિશે... 

રૂદ્રાક્ષ

1/5
image

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની આંખોમાંથી નીકળતા આંસુથી બનેલા રુદ્રાક્ષને ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

 

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)

દૂધ

2/5
image

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાં નીકળેલા ઝેરને પીવાથી ભગવાન શિવનું શરીર બળવા લાગ્યું હતુ ત્યારે ત્યાં હાજર દેવતાઓએ તેમને દૂધ પીવાની વિનંતી કરી હતી. જે બાદ તેમનું શરીર સળગતા બચી ગયું હતું. એટલા માટે ભગવાન શિવને દૂધ ચઢાવવું ધાર્મિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે.

ગંગા જળ

3/5
image

એવું માનવામાં આવે છે કે જ્યારે માતા ગંગાને પૃથ્વી પર લાવવાની હતી ત્યારે ભગવાન શિવે તેમને પોતાના વાળમાં ધારણ કર્યા હતા અને તેમને ગંગા જળ ખૂબ જ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગા જળ જરુર ચઢાવવું જોઈએ.

બીલીનુ ફળ

4/5
image

અન્ય ફળો ઉપરાંત, મહાશિવરાત્રિના શિવલિંગ પર બીલીનુ ફળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ ફળ ભગવાન શિવને અર્પણ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.  

ભસ્મ

5/5
image

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખને ભગવાન શિવનુ મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે, કારણ કે તેમનું આખું શરીર રાખથી ઢંકાયેલું હોય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ જરુર ચઢાવવી જોઈએ.