Mahashivratri 2024: કઇ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઇએ બિલીપત્ર, શું ફાયદો શું થશે ફાયદો

Mahashivratri ke Upay: હિંદુ ધર્મમાં મહા શિવરાત્રિના પર્વ સૌથી મહત્વપૂર્ણ વ્રત-તહેવારોમાંથી એક છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા અને આ દિવસે શિવજી દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ફાગણ કૃષ્ણ ચોથના રોજ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો આ દિવસે જાતક રાશિ અનુસાર ઉપાય કરી લે તો તેની દરેક મનોકામના પૂર્ણ થઇ શછે. કરિયર-વેપારમાં પ્રગતિ, ધન, સફળતા, પ્રતિષ્ઠા સુખી જીવન મળી શકે છે. 

મેષ

1/12
image

શિવલિંગનો ગંગા જળ અને ગાયના દૂધ (કાચા દૂધ)થી અભિષેક કરો. મધ, મીઠા ચોખા અથવા ખીર પણ ચઢાવો. કરિયરમાં લાભ થશે.

વૃષભ

2/12
image

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દહીં, દૂધનો અભિષેક કરો. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.  

મિથુન

3/12
image

મહાશિવરાત્રી પર ભગવાન શિવને બિલીપત્ર અને લાલ ફૂલ અર્પણ કરો. શિવલિંગ પર મધ પણ ચઢાવો.

કર્ક

4/12
image

મહાશિવરાત્રી પર ભગવાન શિવનો દુગ્ધાભિષેક કરો. સફેદ ચંદન, સફેદ વસ્ત્ર અને સફેદ ફૂલ પણ અર્પણ કરો. ખીર અથવા સફેદ મીઠાઈ અર્પણ કરો.

સિંહ

5/12
image

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મધ અને ગોળ ચઢાવો.

કન્યા

6/12
image

મહાશિવરાત્રી પર શિવલિંગનો જલાભિષેક કરો અને મધ પણ ચઢાવો. બિલીપત્રના પાન પણ ચઢાવો.

તુલા

7/12
image

તુલા રાશિના લોકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાદેવને દૂધ, દહીં, મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ. શેરડીનો રસ પણ ચઢાવો.

વૃશ્વિક

8/12
image

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો અભિષેક કરો અને તેમને લાલ ફૂલ ચઢાવો.  

ધન

9/12
image

ભગવાન શિવને દેશી ઘીથી અભિષેક કરો અને તેમને ચંદન અર્પણ કરો. આ પછી પીળા રંગના વસ્ત્રો અને પીળા ફૂલ ચઢાવો.

મકર

10/12
image

મહાશિવરાત્રી પર ભગવાન શિવનો અભિષેક કરો. શિવલિંગ પર ગાયનું દૂધ, ગંગાજળ, ઘી અને બેલપત્ર અર્પણ કરો.

કુંભ

11/12
image

ભગવાન શિવનો જલાભિષેક કરો અને તેમને મધ અને બોર અર્પણ કરો.

મીન

12/12
image

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જલાભિષેક કરો અને બદામ, બિલીપત્રના પાન અને પીળા ફૂલ ચઢાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )