Nainital Photos: ભારતનું એવું સ્થળ જ્યાંની પહાડીઓનો નજારો છે સ્વર્ગ સમાન, જુઓ તસવીરો

નવી દિલ્લીઃ ઉનાળો આવી ગયો છે, જો તમે પણ ગરમીથી ત્રસ્ત હોવ અને એપ્રિલ મહિનામાં ફરવાનો પ્લાન કરી રહ્યાં હોવ તો નૈનીતાલ છે બેસ્ટ ઓપ્શન. અહીંની પહાડીઓનો નજારો સ્વર્ગથી કમ નથી. તસવીરો જોઈને ખુશ થઈ જશે મન....
 

નૈનિતાલ

1/5
image

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલએ જિલ્લા નું મુખ્ય મથક છે.

 

હિમાલય સાથે છે ખાસ સંબંધ

2/5
image

આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે.  

નૈના દેવી મંદિર

3/5
image

નૈના દેવી મંદિર નૈનીતાલનું વિખ્યાત ધાર્મિક સ્થળ છે. આ મંદિર દેવી નૈનાને સમર્પિત છે, જેને નૈનીતાલ તળાવની દેવી માનવામાં આવે છે.

 

નૈનીતાલ રોપવે

4/5
image

નૈનીતાલ રોપવે એ એક રોમાંચક અનુભવ છે જે તમને નૈનીતાલ શહેર અને આસપાસના પર્વતોનું મનમોહક નજારો જોવાનો અવસર આપે છે.  

નૈનીતાલ લેક

5/5
image

નૈનીતાલનું સૌથી પ્રખ્યાત સ્થળ નૈનીતાલ તળાવ છે. આ તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા અને નૌકાવિહાર માટે પ્રખ્યાત છે. તળાવ કિનારે ઘણી હોટલ-રેસ્ટોરાં અને દુકાનો પણ આવેલી છે. અહીં આવતા સહેલાણીઓને લીધે તેમને સારી એવી કમાણી પણ થઈ જાય છે.