કચ્છના કણ કણમાં વસે છે કલા... કલાકારે પથ્થરમાંથી બનાવી પીએમ મોદીની કલાકૃતિ

કચ્છ :કચ્છની ભૂમિ અને કચ્છના કલાકારોના કણ કણમાં કલાનો વાસ છે. કચ્છના કલાકારો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામતા રહ્યાં છે. આવી જ રીતે ભૂજના જાણીતા ચિત્રકાર લાલજી એન. જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે પથ્થર પર નરેન્દ્ર મોદીનું ચિત્ર કોતરીને બનાવ્યું છે. ચિત્રકાર લાલજી જોશી પ્રધાનમંત્રીના ચાહક છે અને તેમના વિચારોથી પ્રભાવિત છે. લાલજી જોશીએ પથ્થર પર કોતરણી કરીને નરેન્દ્ર મોદીનું ચિત્ર કંડાર્યું. ઉલ્લેખનીય છે કે, ચિત્રકાર લાલજી જોશી પેન્સિલ સ્કેચ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્ટોન કારવિંગ વગેરે પ્રકારની પેઇન્ટિંગ કરે છે.
 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image