નાસિક રેલવે સ્ટેશન પર ખુલ્યું ઓક્સિજન પાર્લર, ખાસિયત જાણવા કરો ક્લિક

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં (Nashik) દેશનું પહેલું ઓક્સિજન પાર્લર બનાવવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્લર નાસિક રેલવે સ્ટેશન પર બનાવવામાં આવ્યું છે. અહીં નાસિકના લોકોને શુદ્ધ હવા સાથે પ્લાન્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે. અહીંથી લોકો પ્લાન્ટની ખરીદી પણ કરી શકે છે. 

1/6
image

નાસિક ઓક્સિજન પાર્કમાં આવવા માટે કોઈ ચાર્જ નથી આપવો પડતો. અહીં આવીને લોકો શુદ્ધ વાતાવરણનો અનુભવ લઈ શકે છે. 

 

2/6
image

નાસિકના રેલવે પ્લેટફોર્મ પર બનેલા આ ઓક્સિજન પાર્કમાં લોકો શુદ્ધ હવા લેવા માટે આવે છે. 24 કલાક ઓક્સિજન દેતા પ્લાન્ટ આ પાર્લરની ખાસિયત છે. 

 

3/6
image

રેલવે પ્રશાસનનું માનવું છે કે પ્લેટફોર્મ પર બનેલા ઓક્સિજન પાર્કથી લોકોની પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે. આના કારણે રેલવેની આવક પણ વધશે. 

 

4/6
image

નાસાએ એવા 38 પ્લાન્ટનું લિસ્ટ જાહેર કર્યુ છે જે ઓક્સિજન છોડે છે. આમાંથી 18 પ્લાન્ટ ભારતમાં જોવા મળે છે જેમાં પીપળાના ઝાડનો, વડના ઝાડનો તેમજ તુલસીનો સમાવેશ થાય છે. 

 

5/6
image

લોકો નિયમિત રીતે આ ઓક્સિજન પાર્લરની મુલાકાત લે છે અને લોકોને આ કન્સેપ્ટ બહુ પસંદ પડ્યો છે. 

6/6
image

ઓક્સિજન પાર્લર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા સુમિત અમૃતકરે કહ્યું છે કે હવાના પ્રદૂષણને ઘટાડવામાં વૃક્ષો બહુ મદદ કરે છે.