પરસેવાની વાસ લોકો સામે અનુભવવી પડે છે શરમ, આ ટિપ્સ દૂર થશે સમસ્યા

ગરમીની સિઝન આવતાં જ લોકો પરસેવાથી રેબઝેબ થઇ જાય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને ખૂબ પરસેવો થાય છે. પરસેવાની વાસ આવવા લાગે છે અને આ વસ્તુ લોકો સામે શરમનો અનુભવ કરાવે છે. તેના લીધે ઘણા લોકો વધુ પરેશાન થવા લાગે છે. તમને જણાવી દઇએ કે તમે કેવી રીતે કરી શકો છો. 
 

લીમડાનું પાણી

1/5
image

પરસેવાની ગંધ ક્યારેક લોકોને શરમાવે છે. ઘણા લોકો તેનાથી પરેશાન થઈ જાય છે અને અલગ-અલગ પ્રકારના ડિઓડરન્ટ અને મોંઘી વસ્તુઓ લગાવે છે પરંતુ તેમ છતાં તેમને કોઈ રાહત મળતી નથી. આપણે જે પણ વસ્તુઓ લગાવીએ છીએ, તે માત્ર થોડા સમય માટે જ રહે છે. તેનાથી છુટકારો મેળવવો હોય તો લીમડાના પાણીથી સ્નાન કરવું જોઈએ. દુર્ગંધથી છુટકારો મળે છે અને બેક્ટેરિયાને પણ ખતમ કરે છે.

બેકિંગ સોડા અને લીંબુનો રસ

2/5
image

પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એક સામાન્ય ઘટના બની જાય છે. તમારે લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરીને તમારા અંડરઆર્મ્સ પર લગાવવો પડશે, તેનાથી તમે ખરાબ ગંધથી છુટકારો મેળવી શકો છો. આ વસ્તુઓનો એકવાર ઉપયોગ કરવાથી તમે પરિણામ જાતે જ જોશો.

બેસન અને દહી

3/5
image

જો તમારા પરસેવાની વધુ દુર્ગંધ આવે છે, તો તમારે બેસનની પેસ્ટ લગાવવી જોઇએ. બેસનમાં દહી મિક્સ કરીને લગાવવાથી તમને તમામ વસ્તુઓમાંથી છુટકારો મળી શકે છે. લગાવ્યા બાદ તમે ઠંડા પાણી વડે સ્નાન કરી લો. તમારે દરરોજ સ્નાન કરવું જોઇએ, સ્નાન ન કરવાથી પણ પરસેવાની દુર્ગંધ આવે છે, જે આસપાસના લોકોને પરેશાન કરે છે. 

શાવર જેલ અને બોડી શેમ્પૂ

4/5
image

સ્નાન કરતી વખતે તમારે શાવર જેલ અને બોડી શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે તમારા શરીરમાં પરસેવાની દુર્ગંધ બિલકુલ આવતી નથી. તમે તેને પાણીમાં ઉમેરીને ગુલાબજળથી પણ સ્નાન કરી શકો છો. તમે ખરાબ ગંધથી છુટકારો મેળવી શકો છો. આમ કરવાથી શરીરમાંથી સુગંધ આવે છે અને તાજગીનો અનુભવ થાય છે.

ફૂદીનાના પાંદડા

5/5
image

પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે ફૂદીનાના પાંદડા વાટીને સ્નાન કરવાના પાણીમાં નાખીને તેના વડે સ્નાન કરવું જોઇએ. ફટકડીને પણ તમે તેમાં મિક્સ કરી શકો છો. આ પાણીથી સ્નાન કરવાથી શરીરમાંથી આવનાર વાસને દૂર કરી શકો છો.