પાટણ-રાધનપુર હાઈવે લોહિયાળ બન્યો, ST બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 ના કરુણ મોત

Patan Accident New : પાટણના રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત... એસટી બસ અને ટ્રકની ટક્કરમાં 4 લોકોના મોત... તો 10 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા.. 

1/6
image

પાટણ રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં 10 જેટલા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદથી રાપર જતી બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી.   

2/6
image

રાધનપુર હાઇવે ફરી ગમખ્વાર અકસ્માતથી લોહિયાળ બન્યો છે. ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અકસ્માત સર્જાયો હતો. આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.  

3/6
image

આ અકસ્માતમાં બન્ને વાહનોના ટ્રક અને ડ્રાઈવર મળી કુલ 4 ના મોત નિપજ્યા છે. તો અન્ય 8 થી 10 જેટલાં મુસાફરો ઘાયલ થયા છે. 

4/6
image

અકસ્માતને લઇ હાઇવે પર ચક્કજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા જ ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી એસટી બસને માર્ગ પરથી ખસેડવાની કામગીરી શરુ કરાઈ હતી.

5/6
image

તો બીજી તરફ, ઘાયલોને પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

6/6
image