Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય

Get Rid Of Monsoon Insects: વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય તો પણ આ જંતુઓના કારણે બારી દરવાજા ખુલ્લા રાખી શકાતા નથી. જો ચોમાસામાં તમને પણ આ જ સમસ્યા સતાવતી હોય તો આજે તેનું સમાધાન તમને જણાવીએ. 

લીમડાનું તેલ 

1/5
image

વરસાદી વાતાવરણમાં જીવજંતુઓને દૂર કરવા હોય તો લીમડાનું તેલ અસરદાર ઉપાય સાબિત થાય છે. પાંખવાડા જીવજંતુઓથી ઘરને સુરક્ષિત રાખવું હોય તો ઘરમાં લાઈટ પાસે અને બારી દરવાજા પાસે લીમડાના તેલનો છંટકાવ કરી દો. લીમડાનું તેલ છોડમાં પણ છાંટી શકાય છે. 

કાળી ફિલ્મ 

2/5
image

વરસાદી વાતાવરણમાં ઉડતા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે. જો તમે ઘરના કાચના બારી દરવાજામાં કાળી ફિલ્મ લગાડી દેશો તો આ જીવજંતુ ઘરમાં આવશે નહીં. જે ડરના માર્યા દૂર ભાગી જશે. 

કાળા મરી 

3/5
image

આ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે. ઘરમાં પાંખવાળા જીવજંતુઓને આવતા અટકાવવા હોય તો મરીનો પાવડર કરી તેને પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં જેવું જંતુ આવતા હોય તે જગ્યાએ આ સ્પ્રે છાંટી દો. 

લીંબુ અને બેકિંગ સોડા 

4/5
image

પાંખવાડા જીવજંતુઓને ભગાડવા માટે લીંબુ અને બેકિંગ સોડાનું મિશ્રણ બનાવીને સ્પ્રે બોટલમાં ભરી લેવું. આ મિશ્રણને ફૂલ છોડમાં અને ઘરના ખૂણામાં છાંટી દેવાથી જીવજંતુઓ નહીં આવે. વરસાદી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુઓ ઘૂસી જતા હોય છે.  આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે.

ડિસ્કલેમર

5/5
image