Diabetic Patients: ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ન ખાવી જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે સુગર લેવલ

નાસ્તામાં માત્ર હેલ્ધી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, તેથી તમારે તેને ક્યારેય છોડવું જોઈએ નહીં. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ સવારે નાસ્તામાં શું ખાવું અને શું ના ખાવું એ અહીં તમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાણો શું કહે છે નિષ્ણાત...
 

ફળો નો રસ

1/5
image

ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું અને શું ના ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણીતા ડાયેટિશિયન આયુષી યાદવે કહ્યું કે તમારે નાસ્તામાં ફ્રૂટ જ્યૂસનો સમાવેશ ન કરવો જોઈએ, તેના સેવનથી તમારું શુગર લેવલ વધી શકે છે. જે તકલીફનો સબબ બની શકે છે.

સફેદ બ્રેડ

2/5
image

સવારે નાસ્તો કરવાથી આપણું શરીર આખો દિવસ ફિટ રહે છે અને શરીરમાં કોઈ સમસ્યા જોવા મળતી નથી. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ ઝેર સમાન છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ બ્રેડ, રોટલી અને મીઠી વસ્તુ ના ખાવી જોઈએ.

 

ચા અને કોફી

3/5
image

ડાયાબિટીસના દર્દીઓએ સવારે ચા કે કોફીથી બચવું જોઈએ નહીં તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાસ્તામાં ચા પીવાથી તમને ઘણું નુકસાન થાય છે.

મીઠી વસ્તુ

4/5
image

ડાયાબિટીસના દર્દીઓએ તેમના નાસ્તામાં મીઠી વસ્તુઓનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. તેના સેવનથી તમારા શરીરમાં શુગરની માત્રા વધી શકે છે. તેનાથી તમારી તકલીફમાં વધારો થશે.

હાઈ કાર્બ ખોરાક

5/5
image

જેને ડાયાબિટીસ હોય તેણે હાઈ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ. ઘઉં, દાળ કે રોટલી ના ખાઓ એ જ સારું. જો તમે ઈચ્છો તો તમારા નાસ્તામાં ઈંડા, માછલી અને બદામનો સમાવેશ કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)