દૂધમાં મિક્ષ કરીને ખવડાવો આ 5 વસ્તુઓ, કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલશે તમારા બાળકનું મગજ!

Child Care: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું બાળક એકદમ હોશિયાર અને શરીરથી મન અને મગજથી મજબૂત બને. તેના માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે તેમનો આહાર. જાણી લો નિષ્ણાતોના મતે બાળકોની તંદુરસ્તી માટે આપવો જોઈએ કેવો આહાર.

ત્રિફળા પાવડર

1/5
image

બાળકોના આહારમાં દરરોજ દૂધનો સમાવેશ કરવો જોઈએ. જો તમે તેમના આહારને યોગ્ય રીતે જાળવો છો, તો તમારા બાળકનું મન ખૂબ જ શાંત અને સાર્પ બને છે. ભારતના પ્રખ્યાત પોષણ નિષ્ણાત નિખિલ વત્સે કહ્યું કે બાળકોને દરરોજ સવારે દૂધમાં ત્રિફળા પાવડર મિક્ષ કરીને પીવડાવવો જોઈએ. તેનાથી પેટની તકલીફો થતી નથી.

મધ

2/5
image

મધ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે અને શરીર વધુ મજબૂત બને છે. દરરોજ તેનું સેવન કરવાથી તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

 

અખરોટ

3/5
image

બાળકોને દૂધની સાથે અખરોટનું સેવન પણ કરાવવું જોઈએ. તેનાથી બાળકોના મગજનો વિકાસ ઝડપી થાય છે. અખરોટમાં મોટી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા મગજને તેજ બનાવવા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ.

 

ખજૂર

4/5
image

બાળકોને નિયમિત દૂધમાં ખજૂર નાંખીને પીવડાવવાથી તેમની હેલ્થ એકદમ તંદૂરસ્ત રહે છે. તેઓ શરીરથી મજબૂત બાંધાના બને છે. ખજૂરમાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. શરીરમાં આયર્નની ઉણપ પણ તેનાથી દૂર થાય છે. 

બદામ

5/5
image

બાળકોને રોજ બદામ ખવડાવવાથી તેમનું મગજ વધુ સાર્પ બને છે. તેમની યાદ શક્તિ વધે છે. તેથી શક્ય હોય તો તેને દૂધની સાથે બદામનો ક્રશ કરીને નિયમિત પીવાની આદત પાડવી જોઈએ. તેનાથી શરીર પણ મજબૂત બને છે.

 

 

Disclaimer: प्रिय पाठक, हमारी यह खबर पढ़ने के लिए शुक्रिया. यह खबर आपको केवल जागरूक करने के मकसद से लिखी गई है. हमने इसको लिखने में घरेलू नुस्खों और सामान्य जानकारियों की मदद ली है. आप कहीं भी कुछ भी अपनी सेहत से जुड़ा पढ़ें तो उसे अपनाने से पहले एक्सपर्ट की सलाह जरूर लें.