સોખડાના સંતો ફરી બાખડ્યા, પ્રેમસ્વામી ગ્રૂપના સંતોએ આત્મીય વિદ્યાધામમાં ઘૂસણખોરી કરતા પોલીસ બોલાવવી પડી

બુરહાન પઠાણ/આણંદ :આણંદના બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામ ખાતે ફરી એકવાર પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. પ્રેમ સ્વામી જૂથના પાંચ સંતો આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવતા પ્રબોધ સ્વામી જૂથનાં સંતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધમાં મામલો ગરમાતા પોલીસે બંને જૂથ વચ્ચે સમાધાનનાં પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે શુક્રવારે રાત્રે 12 વાગે પાંચ સંતો અને તેમની સાથેના હરિ ભક્તો પરત જવા રવાના થતા મામલો થાળે પડ્યો હતો.

1/6
image

સોખડાના પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સત્તાનો વિવાદ હજુ અંત થવાનો નામ લેતું નથી. હાઇકોર્ટનાં આદેશ બાદ પ્રબોધ સ્વામી જૂથના 60 થી વધુ સંતો આણંદના આત્મીય વિદ્યાધામ ખાતે નિવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સાંજે પ્રેમ સ્વામી જૂથના પાંચ સંતો આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવ્યા હતા. જેથી મામલો ગરમાયો હતો.   

2/6
image

આત્મીય વિદ્યાધામ ખાતે પ્રેમસ્વામી જૂથના સંતોના રહેવા સામે પ્રબોધ સ્વામી જૂથના સંતોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. જેને લઈને પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો વચ્ચે મામલો ઉગ્ર બને તેમ હોઈ પ્રબોધ સ્વામીનાં સેક્રેટરીએ પોલીસને જાણ કરી હતી. સંસ્થા દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરાઈ હતી, જેથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને જૂથના સંતો વચ્ચે સમાધાન માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

3/6
image

બંને જૂથ સાથે પોલીસે સતત સાત કલાક સુધી સમજાવટ કરી હતી. તેમજ બંને જૂથ આક્રમક બને કે ઘર્ષણ ટાળવા પ્રયાસો કર્યા હતા. આખરે મોડી રાતે મામલો થાળે પાડ્યો હતો. રાત્રે 12 વાગે પાંચ સંતો આગામી 12 મીએ પોલીસ મથકમાં પોલીસની મધ્યસ્થીમાં નિરાકરણ લાવવાની શરતે પરત સોખડા જવા રવાના થયા હતા. જો કે આ સમગ્ર મામલે પ્રેમ સ્વામી જૂથના સંતો દ્વારા કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. 

4/6
image

5/6
image

6/6
image