200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગ


Laxmi narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

લક્ષ્મી નારાયણ રાજયોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર શુભ અને રાજયોગનું નિર્માણ થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દશેરા પર આ વખતે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને સફળતા મળી શકે છે. આવો જાણીએ લક્કી રાશિઓ કઈ છે.

તુલા રાશિ

2/5
image

તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલા ત્વરિત નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. કાર્ય-વેપારમાં પણ પ્રગતિ થશે. આ સમયે આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમને ભાગીદારીથી કામમાં લાભ થશે. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

મકર રાશિ

3/5
image

લક્ષ્મી નારાયણ રાજયોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર બની રહ્યો છે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે વેપારમાં પ્રગતિ થશે. જો તમે આ દરમિયાન કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો આ રાજયોગ શુભ રહેશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.   

કુંભ રાશિ

4/5
image

તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ ફળયાદી રહેશે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જે લોકો પોતાના બિઝનેસમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે તેના માટે આ સમય અનુકૂળ છે. આગળ જતાં તેનાથી લાભ થશે. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. જે શુભ રહેશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.