Ravivar Totke: રવિવારે કરો આ નાનકડું કામ, સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય

Ravivar Totke: રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે તેમના ભક્તોને દરરોજ દર્શન આપે છે. આજે તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાના કેટલાક ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય રવિવારે કરવાથી ઘરમાં ધનની ખામી રહેતી નથી અને પરિવારના લોકો પ્રગતિ કરે છે. 

દરિદ્રતા દૂર કરવા

1/6
image

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો રવિવારે સૂર્યદેવને તાંબાના લોટામાં પાણી ભરી અર્ઘ્ય ચઢાવો. આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થશે અને તમારી દરિદ્રતા દૂર થશે.

સૂર્ય ગ્રહને મજબૂત કરવા

2/6
image

જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે ચોખામાં દૂધ અને ગોળ મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો. આ પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરો.  

ધનપ્રાપ્તિ માટે

3/6
image

જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહે અને તમારી તિજોરી ધનથી ભરેલી રહે તો રવિવારે સાંજે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.

કપડાનું દાન

4/6
image

જો તમે સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે લાલ વસ્ત્ર, લાલ અનાજ અને ગોળનું દાન કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

મનોકામના પૂર્ણ કરવા

5/6
image

જો તમારી કોઈ ઈચ્છા હોય અને તમે તેને પૂરી કરવા માંગતા હોય તો રવિવારે શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

નોકરીમાં સફળતા માટે

6/6
image

જો નોકરીમાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હોય તો રવિવારે ગોળ અને ચોખા નદીના વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આમ કરવાથી નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ વધી જશે.