24 એપ્રિલથી 3 રાશિના લોકો કહેશે ખુલ જા સિમ-સિમ, મળશે ખુશીઓનો ખજાનો

Astrology વૈદિક જ્યોતિષ અનુસાર 23 એપ્રિલ 2023ની રાત્રે 11 કલાક 58 મિનિટ પર બુધ અસ્ત (Mercury Set) થવાનો છે. એટલે કે 24 એપ્રિલ 2023થી ત્રણ રાશિના જાતકોનો ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. આવો જાણીએ આ કઈ રાશિઓ છે. 

બુધ અસ્ત

1/5
image

વૈદિક જ્યોતિષમાં કોઈપણ ગ્રહની ચાલમાં પરિવર્તન કે અસ્ત કે ઉદય તવા પર દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. તેવામાં બુદ્ધિના કારક ગ્રહ બુધનું બે દિવસ બાદ થનારૂ  પરિવર્તન ત્રણ રાશિઓ માટે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

 

 

કઈ રાશિઓ પર પડશે શુભ અસર

2/5
image

23 એપ્રિલ 2023ની રાત્રે 11 કલાક 58 મિનિટ પર બુધ અસ્ત થવા જઈ રહ્યાં છે. આ ત્રણ રાશિઓ માટે શુભ સંકેત હશે જેનો ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. ચાલો જાણીએ આ રાશિ કઈ છે. 

 

 

મેષ રાશિ

3/5
image

 

પહેલાં ભાવમાં અસ્ત થઈને બુધ તમને કરિયરમાં ઉચ્ચ સ્થાને પહોંચાડી શકે છે. ખુબ મહેનત કરાવી બુધ તમારો વિકાસ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને સારા પરિણામ મળશે. તમારા આત્મવિશ્વાસમાં ગજબની ચમક હશે જે લોકોને આકર્ષિત કરશે. બિઝનેસમાં નવા આઈડિયા લાવી તમે પ્રગતિ કરશો. 

 

 

મિથુન રાશિ

4/5
image

બુધ 11મા ભાવમાં અસ્ત થશે અને આગળના જીવનનો પાયો નાખશે. આ દરમિયાન, તમને તમારી કારકિર્દીમાં મિશ્ર પરિણામો મળશે, પરંતુ આ તૈયારી ભવિષ્ય માટે હશે. આ સમય દરમિયાન તમે જેટલું વધારે કામ કરશો તેટલો જ તમને ફાયદો થશે. પરંતુ આ સ્પર્ધાનો સમય હશે, કઠિન પડકારનો સામનો કરવો પડશે. બિઝનેસમાં પ્લાનિંગ સાથે આગળ વધશો તો સારી સફળતા મળશે.

કન્યા રાશિ

5/5
image

 

તમારા 8મા ભાવમાં સ્થિત બુધ તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. પરંતુ ક્યાંક તમે થોડું એકલાપણું અનુભવી શકો છો. આ સમય ખૂબ જ મહેનતવાળો રહેશે, જે ભવિષ્યમાં લાભ આપશે. સટ્ટાબજારમાં રોકાણ કરવાથી સારો નફો મળશે.(પરંતુ નિષ્ણાતની સલાહ લો) જો કે આ સમય વ્યાપારીઓ માટે યોગ્ય નથી, પરંતુ ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરો.

 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)