Photos: વાઘ-સિંહ માટે તાપણા, પક્ષીઓ માટે સ્પેશિયલ ગ્રીન નેટ

 રાજ્યમાં એક તરફ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઠંડીને કારણે તેની માનવીય જીવન ઉપર અસર દેખાઇ રહી છે, તો બીજી તરફ મુંગા અને અબોલ પશુપક્ષીઓને પણ આ કાતિલ ઠંડીનો સામનો કરવો તો પડે જ છે. વડોદરા સ્થિત સયાજીબાગમાં રહેલા પશુ-પક્ષીઓને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સયાજીબાગ સત્તાધીશોએ ખાસ પ્રકારનું આયોજન કર્યું છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં.

તૃષાર પટેલ/વડોદરા : રાજ્યમાં એક તરફ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઠંડીને કારણે તેની માનવીય જીવન ઉપર અસર દેખાઇ રહી છે, તો બીજી તરફ મુંગા અને અબોલ પશુપક્ષીઓને પણ આ કાતિલ ઠંડીનો સામનો કરવો તો પડે જ છે. વડોદરા સ્થિત સયાજીબાગમાં રહેલા પશુ-પક્ષીઓને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સયાજીબાગ સત્તાધીશોએ ખાસ પ્રકારનું આયોજન કર્યું છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં.
 

1/4
image

રાજ્યમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ અસહ્ય ઠંડી વચ્ચે માનવ સમુદાયને રહેવું ઈમ્પોસિબલ બન્યું છે. સામાન્ય માનવી તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વિવિધ તરકીબો અજમાવી લેતાં હોય છે. ધાબળા રજાઈ સાથે ચાર દિવાલમાં સુરક્ષિત રહેતો માનવી કાતિલ ઠંડીનો પ્રતિકાર કરી લે છે, પરંતુ અબોલ પશુ-પક્ષીની સૃષ્ટિ કેવી રીતે આ ઠંડીનો સામનો કરતી હશે. વડોદરાના સયાજીબાગ ખાતે રહેતાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ઝુ સત્તાધીશોએ ખાસ વ્યવસ્થા કરી છે. ઝુમાં આવેલ પક્ષીઓના એન્ક્લોઝર ફરતે ગ્રીન નેટ લગાવીને રાત્રિની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવાની કામગીરી સહિત તેમના ખોરાક માટે પણ ઝુ ઓથોરિટીએ ચિંતા કરી છે.

2/4
image

પક્ષીઓ સામાન્ય રીતે ઠંડીમાં રહેવા ટેવાયેલા હોય છે, પરંતુ તે કુદરતી વાતાવરણમાં પોતાને સુરક્ષિત કરી લેતાં હોય છે. પરંતુ જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલ પક્ષીઓ બંધ એંક્લોઝરમાં રહેતા હોવાને કારણે તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસ સહિત ઠંડી સામે રક્ષણ મળે તે માટે પૌષ્ટિક આહાર પણ પક્ષીઓ અને પ્રાણીઓને પૂરો પાડવામાં આવે છે. 

3/4
image

તો બીજી તરફ ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓમાં સૂકા લાકડાની મદદથી અગ્નિ પેટાવવામાં આવે છે. જે સમગ્ર રાત્રિ દરમિયાન પિંજરામાં રહેલા પ્રાણીઓને કાતિલ ઠંડી સામે રક્ષણ આપે છે. ખાસ કરીને શાહુડી અને જમીન પર રહેતાં કાચબા માટે ગરમ ઘાસની વ્યવસ્થા ઝુ સત્તાધીશોએ કરી છે. શિયાળાની ઋતુને ધ્યાને રાખીને દરરોજ પ્રાણીઓને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. 

4/4
image

આ ઉપરાંત પ્રતિ દિવસ ઝુના વેટેનરી અધિકારી દ્વારા નિયમિત પશુઓ અને પક્ષીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવે છે. ઝુના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે આ વિશે જણાવ્યું કે, ઝૂ પાસે ઠંડીના સમયમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પહોંચે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણી પક્ષીની સારવાર માટે જરૂરી જથ્થો પણ ઝુ ઓથોરિટી પાસે પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે.