આ 5 વસ્તુ ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન, નિયમિત લેવાથી Blood Sugar રહેશે કંટ્રોલમાં

Health Tips: ઘરના રસોડામાં કેટલાક એવા મસાલા પણ છે જે ડાયાબિટીસમાં દવા જેવું કામ કરે છે. આ મસાલાનું યોગ્ય રીતે સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ મસાલાનો ઉપયોગ તમે પણ રોજ રસોઈમાં કરતા હશો. તો ચાલો આજે તમને જણાવીએ કે બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે કયા મસાલા ઉપયોગી છે.

આદુ

1/5
image

બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે આદુ ઉપયોગી છે. તમે તેના નાના ટુકડા કરીને અથવા તો વાટીને ચામાં કે અન્ય રીતે ઉપયોગમાં લઈ શકો છો. આદુ વાળી ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

તજ

2/5
image

એક વાસણમાં એક કપ પાણીમાં એક ઇંચ નો તજનો ટુકડો ઉમેરી બરાબર ઉકાળો. તજ બરાબર ઉકળી જાય પછી આ પાણીને ગાળીને પી જવું. તજની આ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારી રહે છે. 

સૂકી મેથી

3/5
image

એક વાટકીમાં એક ચમચી સૂકી મેથીના દાણા પલાળી દેવા અને સવારે ખાલી ભેટ આ આ પાણી પી જવું. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

લવિંગ

4/5
image

લવિંગમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં પાંચ લવિંગને રાત્રે પલાળી દેવા અને સવારે આ પાણી પી જવું અને લવિંગને ચાવીને ખાઈ જવા. 

હળદર

5/5
image

હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. હળદર નો ઉપયોગ અનેક રોગમાં થાય છે તેવી રીતે ડાયાબિટીસમાં પણ કરી શકાય છે. હળદરને તમે પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં ઉકાળીને પી શકો છો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)