Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ, આ 3 રાશિઓને બલ્લે બલ્લે

Sakat Chauth 2024: હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે, તે બધા પોતપોતાની રીતે મહત્વપૂર્ણ છે. માઘ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથ ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકો માટે વ્રત રાખે છે. તેને લંબોદર ચતુર્થી, માઘી ચતુર્થી, તિલકૂટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 100 વર્ષ બાદ શકત ચોથ પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે 3 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. આવો જાણીએ. 

ક્યારે છે સંકટ ચોથનું વ્રત ?

1/5
image

પંચાંગ અનુસાર આ વર્ષે માઘ કૃષ્ણ ચતુર્થી તિથિ 29 જાન્યુઆરીએ સવારે 6:10 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થશે. જેના કારણે 29 જાન્યુઆરીના રોજ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવશે.

100 વર્ષ પછી બની રહ્યા છે સંયોગો

2/5
image

આ વર્ષે 100 વર્ષ પછી સંકટ ચોથ પર શુભ અને ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, ધન રાશિમાં શુક્ર, મંગળ અને બુધની યુતિને કારણે ત્રિગ્રહી યોગ બનશે જે ત્રણેય રાશિઓને લાભ આપશે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

કુંભ

3/5
image

કુંભ રાશિના જાતકો માટે આર્થિક લાભની વિશેષ તકો રહેશે. ઓફિસમાં તમારું સન્માન વધશે અને ધનલાભના સ્ત્રોત પણ વધી શકે છે.

વૃશ્વિક

4/5
image

100 વર્ષ પછી બનતા આ સંયોગને કારણે વૃશ્ચિક રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી આર્થિક સમસ્યાઓ પણ આ સમયે ઉકેલાઈ જશે. રોકાણ માટે આ સમય ઘણો સારો સાબિત થશે.

તુલા

5/5
image

સકટ ચોથના દિવસે તુલા રાશિના લોકોની મનોકામનાઓ પૂર્ણ થશે અને કામમાં આવતી અડચણો દૂર થશે. આ કારણે કાર્યમાં સફળતા મળશે. તમે નવો વેપાર અથવા વ્યવસાય શરૂ કરી શકો છો જે સારો નફો કમાવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )