કુમકુમ મંદિર લંડન ખાતે 11મા પાટોત્સવની ઉજવણી, પ્રેમવત્સલદાસજી મહારાજનો ભક્તોને મોટો સંદેશ

સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ London-યુકે ખાતે 11માં પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન, અર્ચન કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

1/8
image

આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનની સ્વાગત યાત્રા પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ધૂન ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. 

2/8
image

આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી, પ્રેમવત્સલદાસજી સ્વામીએ મંદિર અને ભગવાનનાં મહિમા અંગે પ્રવચન કર્યા હતા. 

3/8
image

અંતમાં સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

4/8
image

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો ,શાસ્ત્રો અને સંતો છે. 

5/8
image

તેમણેૃ વધુમાં જણાવ્યું કે, મંદિરોના કારણે આજે દેશ અને વિદેશમાં આપણા સંસ્કારો ટકી રહ્યા છે. કારણ કે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન અને સંતોનો સમાગમ કરવાથી આપણા યુવાનો વ્યસનમુક્ત અને સદાચારમય જીવન જીવતાં શીખે છે. 

6/8
image

મંદિરોમાં જવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. 

7/8
image

તેથી સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે.

8/8
image