ડુંગળી કાપતી વખતે ભલભલાની આંખમાંથી નિકળવા લાગે છે આંસુ! ચોંકાવનારું છે કારણ

Knowledge: ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. 

ડુંગળી કાપતી વખતે ભલભલાની આંખમાંથી નિકળવા લાગે છે આંસુ! ચોંકાવનારું છે કારણ

Why onion makes us cry: ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળી એટલે એક અત્યંત સાધારણ અને ગમે તેના ઘરમાં સરળતાથી મળી આવતી શાકભાજી છે.

કોઈપણ વ્યક્તિનું ઘર એવું નહીં હોય જેના ઘરે તમને ડુંગળી ન મળે. આ એક અત્યંત સાધારણ શાકભાજી છે પરંતુ તેના વિના અનેક શાકભાજીનો સ્વાદ બગડી જાય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં મોટાભાગની શાકભાજી જેવી પંજાબી શાકભાજીમાં ડુંગળી નાંખવામાં આવે છે. એટલું જ નહીં દેશના ખૂણે-ખૂણામાં ડુંગળીના ભજિયા અને ડુંગળીની કચોરીની ઘણી સારી ડિમાન્ડ છે. પરંતુ ડુંગળીની સાથે એક ખાસ મુશ્કેલી એ છે કે તેને કાપતાં સમયે આપણી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે.

આખરે કેમ બહુ રડાવે છે ડુંગળી:
અનેક ડુંગળી એવી હોય છે જે આપણી આંખો પર બહુ વધારે પ્રભાવ કરે છે. જેના કારણે ઈચ્છા ન હોવા છતાં પણ આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડુંગળીમાં એવી તે કઈ વસ્તુ હોય છે જેના કારણે આપણે રડવું પડે છે. આજે અમે તમને ડુંગળીમાં તત્વો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે આપણી આંખોમાં આંસુ નીકળવા લાગે છે.

ડુંગળીમાં મળી આવે છે ખાસ પ્રકારનું કેમિકલ:
ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ડુંગળીમાં એક કેમિકલ મળી આવે છે જેને સાઈન-પ્રોપેંથિયલ-એસ-ઓક્સાઈડ કહેવાય છે.

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિંથેસ એંજાઈમ છે જવાબદાર:
ડુંગળી કાપતાં સમયે આ કેમિકલ બહાર નીકળે છે. અને આપણી આંખોની લેક્રાઈમલ ગ્લેન્ડ પર અસર કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે આપણી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. આ આખી પ્રક્રિયા માટે આપણા વૈજ્ઞાનિક પહેલાં એલીનેસ નામના એન્જાઈમને કારણ ગણાવતાં હતા. પરંતુ હવે ડુંગળીમાં લેક્રાઈમેટી-ફેક્ટર સિંથેસ નામનું નવું એન્જાઈમ મળી આવે છે. ડુંગળી કાપતાં સમયે તે બહાર નીકળે છે અને આપણી આંખોની સાથે સંપર્કમાં આવી જાય છે. જેના કારણે આપણે મજબૂરીમાં રડવું પડે છે.

સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે ડુંગળી:
આપણી બધાની પસંદગીની ડુંગળીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ મળી આવે છે. ઘરે-ઘરે મળી આવતી ડુંગળીમાં અનેક પ્રકારના પોષક તત્વ, વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. એટલું જ નહીં ડુંગળીમાં કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન બી-6 અને ફાઈબર પણ હોય છે. આ તત્વ આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news