Silver Foil: 'ચાંદીનું વરખ' વેજ હોય છે કે નોન વેજ? આ સવાલનો જવાબ જાણીને તમે પણ ચોંકી જશો

Silver Foil Veg Or Non Veg: કેટલાક લોકો કહે છે કે 'ચાંદીના વરખ' વાળો ખોરાક ન ખાવો જોઈએ કારણ કે તે માંસાહારી હોય છે. શું તે સાચું છે, તે ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે તેને બનાવવાની પ્રક્રિયા જાણીશું..

Silver Foil: 'ચાંદીનું વરખ' વેજ હોય છે કે નોન વેજ? આ સવાલનો જવાબ જાણીને તમે પણ ચોંકી જશો

Silver Foil Veg Or Non Veg: આપણામાંથી મોટાભાગના લોકોએ મીઠાઈઓ ખાધી હશે જેના પર 'ચાંદીનો વરખ' હોય છે. ચાંદીનો વરખ લગાવવાથી આ મીઠાઈઓની સુંદરતા અનેકગણી વધી જાય છે. જો કે, હવે આ સુંદર દેખાતી વસ્તુનો ઉપયોગ અન્ય ઘણી વાનગીઓમાં પણ થાય છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે 'ચાંદીના વરખ' વાળો ખોરાક ન ખાવો જોઈએ કારણ કે તે માંસાહારી હોય છે. શું તે સાચું છે, તે ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે તેને બનાવવાની પ્રક્રિયા જાણીશું.

ચાંદીનું વરખ કેવી રીતે તૈયાર થાય છે?
ચાંદીનું વરખ વાસ્તવમાં ચાંદીની ખૂબ જ પાતળી શીટ હોય છે, જે પહેલી નજરે એલ્યુમિનિયમ જેવી લાગે છે, પરંતુ નજીકથી તપાસ કરવાથી ખબર પડશે કે તે માત્ર ચાંદીની છે. ચાંદીના વરખને પાતળો અને ખાદ્ય બનાવવા માટે નિષ્ણાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ચાંદીના વરખને વાસ્તવમાં ચાંદીના નોન-બાયોએક્ટિવ ટુકડાને પીટીપીટીને તૈયાર કરવામાં આવે છે. આ કાગળના પાંદડાને ખૂબ કાળજી સાથે રાખવામાં આવે છે જેથી તે તૂટી ન જાય. તે એટલું પાતળું થઈ જાય છે કે તેને સ્પર્શ કરવાથી જ તે તૂટવા લાગે છે. જો કે, કેટલાક લોકો તેમાં કેડમિયમ, નિકલ, એલ્યુમિનિયમ અને સીસા જેવી વસ્તુઓની ભેળસેળ કરે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

No description available.

શું નોન-વેજ હોય છે 'ચાંદીનું વરખ'?
ઘણા લોકો આનાથી ડરતા હોય છે, તેથી તેઓ ઘણીવાર બજારો, તહેવારો અને લગ્નમાં ચાંદીના વરખથી ઢંકાયેલી મીઠાઈઓ ખાવાનું ટાળે છે. આનું કારણ એ છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં બતાવવામાં આવે છે કે 'ચાંદીના વર્ખને'ને જાનવરની ચામડીની વચ્ચે રાખીને મારવામાં આવે છે. 

એનિમલ યુઝેજ પર લગાવવામાં આવ્યો છે બેન 
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ હવે ચાંદીના વરખની તૈયારીમાં પ્રાણીઓના ચામડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમને હજુ પણ ભેળસેળની શંકા હોય તો 'ચાંદીના વરખને' લઈને તેને સળગાવી દો, જો તેની ગંધ ધાતુ જેવી હોય તો તે વાસ્તવિક છે, પરંતુ જો તેમાં ચરબીની ગંધ આવે તો સમજવું કે તે શાકાહારી નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. ZEE24KALAK આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news