પેટભરીને ઝાપટી જશો આ ફૂડ્સ તો પણ નહી વધે વજન, જાણો નેગેટીવ કેલરી ફૂડ્સ વિશે

Negative Calorie Foods for Weight Loss: ફિટ રહેવું કોઇ સરળ કામ નથી, પરંતુ જે વસ્તુ તેને વધુ મુશ્કેલ બનાવે છે તે છે કેકરી ઇંટેકને કંટ્રોલ કરવી. જ્યારે વજન વધારવાની વાત આવે છે તો સૌથી પહેલાં આ વાત સામે આવે છે કે શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ.

પેટભરીને ઝાપટી જશો આ ફૂડ્સ તો પણ નહી વધે વજન, જાણો નેગેટીવ કેલરી ફૂડ્સ વિશે

Negative Calorie Food: ફિટ રહેવું કોઇ સરળ કામ નથી, પરંતુ જે વસ્તુ તેને વધુ મુશ્કેલ બનાવે છે તે છે કેકરી ઇંટેકને કંટ્રોલ કરવી. જ્યારે વજન વધારવાની વાત આવે છે તો સૌથી પહેલાં આ વાત સામે આવે છે કે શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ. જોકે હેલ્થ એક્સપર્ટ માને છે કે પાચનમાં સુધાર અને મેટાબોલિઝિમને વધારવા માટે દરરોજ એવા ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જોઇએ જેમાં નેગેટિવ કેલેરી ઉપલબ્ધ છે. એવામાં એ જાણવું જરૂરી છે કે નેગેટિવ કેલેરી ફૂડ શું હોય છે અને આ કેવી રીતે વજન ઓછું કરવામાં મદદગાર છે. 

શું છે નેગેટિવ કેલરીવાળા ફૂડ
એક્સપર્ટના અનુસાર, નેગેટિવ કેલરીવાળા ફૂડ વજનને પ્રભાવી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નેગેટિવ કેલરીવાળા ફૂડ શરીરને ઉર્જા આપવાનાર ફૂડની તુલનામાં પાછળ પાચન દરમિયાન વધુ ઉર્જાનો ઉપયોગ કરે છે એટલે કે ફૂડને પચાવવાની કેલરી સતત તેની ઉર્જા સામગ્રીથી વધુ થાય છે. નેગેટિવ કેલરીવાળા ખાદ્ય પદાર્થ સામાન્ય રીતે ફાઇબરમાં ઉચ્ચ હોય છે અને તેમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછો હોય છે. 

વજન ઓછું કરવામાં કેવી રીતે જવાબદાર છે કેલરી
કેલરી ડાયટનું એક મહત્વપૂર્ણ ઘટક છે અને આપણે જે ખાઇએ છીએ તેમાં કેલરી હોય છે. કેલરી બે પ્રકારની હોય છે. એક ઓછા પોષણ મૂલ્યોવાળી કેલરી જે વજન વધારે છે. તો બીજી ઉચ્ચ ફાઇબર અને પાણીની માત્રાવાળા ખાદ્ય પદાર્થોમાં હાજર કેલરી જેમાં ઓછી કેલરી હોય છે અને તેને પચાવવા માટે આપણે વધુ ઉર્જાની જરૂર હોય છે, આ નકારાત્મક કેલરીવાળા ખાદ્ય પદાર્થ કહેવાય છે. 

આ ખાદ્ય પદાર્થ વજન ઓછું કરવામાં મદદ કરે છે કારણ કે આ ના ફ્ક્ત કેલરીને ઓછી કરે છે પરંતુ બીજાની તુલનામાં વધુ કેલરી બર્ન પણ મદદ કરે છે. મોટાભાગે નેગેટિવ કેલરીવાળા ખાદ્ય પદાર્થ છોડ આધારિત હોય છે. 

નેગેટિવ કેલરી ફૂડ
અજમો
જાંબૂ
ટામેટા
ગાજર
કાકડી
તરબૂચ
સફરજન
બ્રોકલી
તૂરીયા
સલાડ પત્તા

આ ખાદ્ય પદાર્થોમાં નેગેટિવ કેલરી હોય છે જે વજન ઓછું કરી શકે છે. આ વાતના પણ અત્યાર સુધી કોઇ પુરાવા નથી કે નેગેટિવ કેલરીવાળા ખાદ્ય પદાર્થ ખાવાથી કોઇ દુષ્પ્રભાવ થાય છે. જોકે તમે કોઇ ન્યૂટ્રિશનની દેખરેખમાં નથી તો ઓછી માત્રામાં કેલરી ખાવાની સલાહ ન આપી શકાય. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેને પુષ્ટિ કરતું નથી. ) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news