Weight Loss: 30 દિવસમાં ઓગળી જશે શરીરની બધી ચરબી, ફેટમાંથી થશો ફીટ, આ 4 રીતે શરુ કરો અજમાનું સેવન

Weight Loss: આયુર્વેદ અનુસાર અજમા વજન ઓછું કરવા માટે ચમત્કારી ઔષધી જેવું કામ કરે છે.  તેના ઉપયોગથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને  સ્વાસ્થ્યને પણ ફાયદા છે. અજમા એવો મસાલો છે જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના ઉપયોગથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

Weight Loss: 30 દિવસમાં ઓગળી જશે શરીરની બધી ચરબી, ફેટમાંથી થશો ફીટ, આ 4 રીતે શરુ કરો અજમાનું સેવન

Weight Loss: વધેલું વજન રોગ નથી પણ તેના કારણે ઘણા રોગ થઈ શકે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણે ખાણીપીણીની આદતો પર એટલું ધ્યાન આપી શકતા નથી જેટલું જરૂરી હોય છે. વજન વધી જાય પછી કોઈ પાસે જીમમાં જઈને કલાકો સુધી મહેનત કરવાનો સમય હોતો નથી.  આ સ્થિતિમાં તમે વજન ઘટાડવા માટે આયુર્વેદની મદદ લઈ શકો છો.

આયુર્વેદ અનુસાર અજમા વજન ઓછું કરવા માટે ચમત્કારી ઔષધી જેવું કામ કરે છે.  તેના ઉપયોગથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને  સ્વાસ્થ્યને પણ ફાયદા છે. અજમા એવો મસાલો છે જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના ઉપયોગથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

આ 4 રીતે કરો અજમાનો ઉપયોગ

આ પણ વાંચો:

1. એક મુઠ્ઠી મેથીના દાણા, કલોંજી અને અજમાના દાણાને સૂકવી લો. તેને સારી રીતે પીસી અને ઝીણો પાવડર બનાવો અને તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે 1 ચમચી પાવડર લેવો. 

2. એક ગ્લાસ પાણીને ઉકાળો. તેમાં 1 ચમચી અજમા ઉમેરો. પાણીનો રંગ બદલી જાય પછી તેને ગાળી અને પી જવું. 

3.  શરીરની ચરબી ઘટાડવા માટે મધ અને અજમાનું સેવન કરો. સૌથી પહેલા અજમાને રાત્રે પાણીમાં પલાળો. બીજા દિવસે સવારે પાણી ગાળી તેમાં 1 ચમચી મધ ઉમેરો અને પછી પી જવું. 

4. વજન ઘટાડવા માટે વરિયાળી અને અજમાનું સેવન કરો. તેના માટે 1 ચમચી અજમા અને 1 ચમચી વરિયાળીને 4 કપ પાણીમાં ઉકાળો.
પાણીનો રંગ બદલાય ત્યારે તેને ગાળીને તેનું સેવન કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news