Hyderabad Rape Case Encounter: તેલંગાણા ગેંગરેપ-મર્ડર કેસ: દુષ્કર્મ-આરોપીઓ સામે પોલીસનું બીજું એન્કાઉન્ટર

Hyderabad Rape Case Encounter: ડોક્ટર દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓનું આજે સવારે પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. તેલંગાણામાં મહિલાઓ વિરૂદ્ધ ક્રાઇમના મુદ્દે આ પ્રકારની ઘટના બીજીવાર થઇ છે. એટલે કે તેલંગાણામાં આ પ્રકારનું આ બીજું એન્કાઉન્ટર છે જ્યાં મહિલા વિરૂદ્ધ કરનાર આરોપીએ જ્યારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેમનો એન્કાઉન્ટર કરી દીધું છે.

Hyderabad Rape Case Encounter: તેલંગાણા ગેંગરેપ-મર્ડર કેસ: દુષ્કર્મ-આરોપીઓ સામે પોલીસનું બીજું એન્કાઉન્ટર

હૈદરાબાદ: Hyderabad Rape Case Encounter હૈદરાબાદ ગેંગ રેપ હત્યા મામલે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ડોક્ટર દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓનું આજે સવારે પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. તેલંગાણામાં મહિલાઓ વિરૂદ્ધ ક્રાઇમના મુદ્દે આ પ્રકારની ઘટના બીજીવાર થઇ છે. એટલે કે તેલંગાણામાં આ પ્રકારના આ બીજું એન્કાઉન્ટર છે જ્યાં મહિલા વિરૂદ્ધ કરનાર આરોપીએ જ્યારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેમનો એન્કાઉન્ટર કરી દીધું છે.

આ પહેલાં ડિસેમ્બર 2008માં વારંગલમાં પણ કમોબેશ આવો કિસ્સો થયો હતો. તેમાં એક મહિલા પર એસિડ એટેક કરનાર ત્રણેય આરોપીને જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર ક્રાઇમ સીનને રિક્રિએટ કરવા માટે તો તેમણે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આત્મરક્ષામાં તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. આ બંને કેસમાં ખાસ વાત એ છે કે શમશાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનાર (V C Sajjanar) 2008માં વારંગલના એસપી હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને એન્કાઉન્ટરોને તેમની ટીમે જ અંજામ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા (Hyderabad gangrape)ના આરોપીઓને પોલીસે એક એન્કાઉન્ટર (encounter)માં ઠાર માર્યા છે. પોલીસ (police)નું કહેવું છે કે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસે આત્મરક્ષામાં જવાબી ગોળીબારી કરી હતી. 

ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, સાઇબરાબાદ પોલીસે આરોપીઓને ક્રાઇમ સ્પોટ પર ઘટનાઓના રિકંસ્ટ્રક્શન માટે લઇને ગઇ હતી. આરોપીઓએ પોલીસ પાસે હથિયાર છીનવી લીધા અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીને મોતને ભેટ્યા હતા.

તમને જણાવી દઇએ કે સવારે શાદનગર પાસે મુઠભેડમાં એક યુવા મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને મર્ડરના તમામ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આરોપીઓને ત્યારે ઠાર મારવામાં આવ્યા, જ્યારે તેમણે હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગરની પાસે ચટનપલ્લીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. 

ચારેય આરોપીને  તે સ્થળે મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા જ્યાં તેમણે 27 નવેમ્બરની રાત્રે પીડિતા સાથે હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાબાદ પાસે સામૂહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવીને ફેંકી દીધી હતી. 

તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા હતા. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસાની લહેર જોવા મળી હતી અને અપરાધીઓને તાત્કાલિક મોતની સજા આપવાની માંગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news