કુપવાડા: સીમા પારથી ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ

સૈન્ય દ્વારા પ્રાથમિક તપાસ પુર્ણ કરીને જમ્મુ કાશ્મીર પોલીસને ત્રણેય આતંકવાદીઓ સોંપી દેવાયા

કુપવાડા: સીમા પારથી ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સેનાએ સીમા પારથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલ ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ આતંકવાદીઓ કુપવાડાના રહેવાસી છે. તેઓ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આર્મી દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. 

મળતી માહિતી અનુસાર સેનાએ શરૂઆતી પુછપરછ બાદ ત્રણેય આતંકવાદીઓને પોલીસના હવાલે કરી દીધા છે. આ ત્રણેયની વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હવે તમામ કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. હાલ ત્રણેય આતંકવાદીઓ જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે.

— ANI (@ANI) September 9, 2018

સુત્રો અનુસાર ત્રણેયની પાસે પણ મોટા પ્રમાણમાં હથિયાર  અને દારૂગોળો પણ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ત્રણેય ભારતનાં જ નિવાસી છે અને ગત્ત વર્ષે સીમા પાર કરીને આતંકવાદી ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news