મોદી સરકારે ભારતીયોને આપી સલાહ, Unknown Numberના ભુલથી પણ ન ઉઠાવશો Calls,જાણો કેમ

વધતા  Online Scamsને ધ્યાનમાં રાખીને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે અજાણ્યા નંબરો પરથી આવતા કોલ ન ઉપાડવા અને સાવચેત રહેવા વિનંતી કરી છે. આવો જાણીએ ડીટેલ્સ...

મોદી સરકારે ભારતીયોને આપી સલાહ, Unknown Numberના ભુલથી પણ ન ઉઠાવશો Calls,જાણો કેમ

Online Scams India: ભારતમાં ઓનલાઈન કૌભાંડો સતત વધી રહ્યા છે. કેટલાક મહિનાઓથી લોકોને સતત ઈન્ટરનેશનલ કોલ્સ અને મેસેજ આવી રહ્યા છે. સ્કેમર્સ હવે વોટ્સએપનો સહારો લઈને પણ લોકોના પૈસાની ચોરી કરી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને અને સાવચેતી રાખવા માટે, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીયોને અજાણ્યા નંબરો પરથી કૉલ ન લેવા વિનંતી કરી છે. આવો જાણીએ ડીટેલ્સ...

Unknown Numbers પરથી કોલ ઉપાડશો નહીં
જ્યારે સ્પામ કોલ્સ અને વધતી જતી છેતરપિંડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે દેશભરમાં રહેતા લોકો માટે એક મહત્વપૂર્ણ વાત પર ભાર મૂક્યો. તેમણે સલાહ આપી કે તેઓ "Unknown Numbers" પરથી આવતા મોબાઈલ ફોન કોલ્સનો જવાબ ન આપે. તેમણે કહ્યું કે, 'લોકોએ અજાણ્યા નંબરના કોલનો જવાબ ન આપવો જોઈએ. હું દરેક ભારતીયને વિનંતી કરું છું કે તેઓ જે નંબરો ઓળખતા હોય તેના જ કોલનો જવાબ આપે.'

40 લાખ સિમ બ્લોક કરવામાં આવ્યા 
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે ટેલિકોમ મંત્રાલયે સાયબર છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને પહોંચી વળવા વધારાના પગલાં લીધા છે. વૈષ્ણવે સ્પામ કોલ્સ અને સાયબર છેતરપિંડી સામે લડવા માટે મંત્રાલય દ્વારા તાજેતરમાં 'સંચાર સાથી' પોર્ટલ લોન્ચ કરવા પર ભાર મૂક્યો. તેમણે ખુલાસો કર્યો કે સરકારે 40 લાખથી વધુ નકલી સિમ કાર્ડ અને 41,000 અનધિકૃત 'પૉઇન્ટ ઑફ સેલ' એજન્ટોને બ્લેકલિસ્ટ કર્યા છે.

સંચાર સાથી શું છે?
સંચાર સાથી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત પોર્ટલ છે જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને ઑનલાઇન ટેલિકોમ છેતરપિંડી અટકાવવામાં મદદ કરવાનો છે. પોર્ટલમાં વિવિધ સુવિધાઓ છે જે વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવામાં અને વપરાશકર્તાઓને તેમના ફોન કનેક્શનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પોર્ટલ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને લગતી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news