તેલંગાણા: વિકારાબાદમાં ટ્રેનર વિમાન ક્રેશ, 2 પાઈલટના મોત

તેલંગણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે બપોરે એક એરક્રાફ્ટ ક્રેશ થવાથી બે પાઈલટે જીવ ગુમાવ્યાં. મૃતકોમાં એક ટ્રેઈની પાઈલટ પણ સામેલ છે. 

તેલંગાણા: વિકારાબાદમાં ટ્રેનર વિમાન ક્રેશ, 2 પાઈલટના મોત

હૈદરાબાદ: તેલંગણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે બપોરે એક એરક્રાફ્ટ ક્રેશ થવાથી બે પાઈલટે જીવ ગુમાવ્યાં. મૃતકોમાં એક ટ્રેઈની પાઈલટ પણ સામેલ છે. 

જુઓ LIVE TV

એર ક્રાફ્ટ સુલ્તાનપુર ગામમની ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ભારે વરસાદ અને પવનના કારણે એરક્રાફ્ટનું એન્જિન ફેઈલ થઈ ગયું. પાઈલટોએ 10 મિનિટ સુધી સેફ લેન્ડિંગ કરવાના ભરપૂર પ્રયત્નો કર્યાં. પરંતુ આમ કરવામાં તેઓ નિષ્ફળ ગયાં. હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટથી રવાના થયેલું આ વિમાન અકસ્માત થયાના 45 મિનિટ પહેલા હવામાં રહ્યું. 

(વિસ્તૃત અહેવાલ થોડીવારમાં)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news