પ્રદર્શનને કારણે બંધ થયેલા શાહીન બાગ રોડ મામલે આજે સુપ્રિમ કોર્ટ કરશે મહત્વની સુનવણી

દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં ચાલી રહેલા ધરણા પ્રદર્શનની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટ આજે વિસ્તૃત સુનવણી કરશે. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આજે આ અરજી પર સુનવણી કરશે.
પ્રદર્શનને કારણે બંધ થયેલા શાહીન બાગ રોડ મામલે આજે સુપ્રિમ કોર્ટ કરશે મહત્વની સુનવણી

નવી દિલ્હી :દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં ચાલી રહેલા ધરણા પ્રદર્શનની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટ આજે વિસ્તૃત સુનવણી કરશે. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આજે આ અરજી પર સુનવણી કરશે.

આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહિ થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનું કેવી રીતે સમાધાન નીકળી શકે છે.

હકીકતમાં, વકીલ અમિત સહાની ઉપરાંત બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તરફથી દાખલ અરજીમાં શાહીન બાગના બંધ પડેલા રસ્તાને ખોલવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત અરજી કરનારાઓએ માંગ કરી છે કે, આ સમગ્ર મામલામાં હિંસાને રોકવા માટે સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ કે હાઈકોર્ટના કોઈ હાલના જજ દ્વારા નજર રાખવામાં આવે. આ સાથે જ દિશા-નિર્દેશ જાહેર કરવાની માંગ કરાઈ છે. 

जल्‍द खुल पाएगा शाहीन बाग का बंद रास्‍ता या करना होगा और इंतजार, सुप्रीम कोर्ट आज करेगा सुनवाई

હાઈકોર્ટના આદેશ બાદ પણ શાહીન બાગનો રસ્તો ખાલી ન કરાવાતા ટોચની અદાલતમાં પહોંચેલા અમિત સહાનીએ એક સ્પેશિયલ લિવ પિટીશન દાખલ કરી હતી. આ અરજીમાં મુખ્ય રીતે કહેવાયું હતું કે, કોઈ પણ નાગરિકનું પ્રદર્શન કરવું તે તેનો મૌલિક અધિકાર છે અને લોકતાંત્રિક વ્યવસ્થામાં તેને ના પાડવામાં આવી શકાતુ નથી. પરંતુ પ્રદર્શનકારીઓને એ અધિકાર બિલકુલ પણ નથી કે, તેઓ પોતાની મરજી મુજબ જગ્યા પર પ્રદર્શન કરે. જેને કારણે લાખો લોકોનું જનજીવન પ્રભાવિત થાય. આવા કોઈ પ્રદર્શનથી સામાન્ય લોકોને રસ્તા પરથી પસાર થવાના અધિકારને અસર કરી શકાતુ નથી. આવા કોઈ પણ પ્રદર્શનને અનિશ્ચિતકાળ સુધી ચાલુ રાખવાની પરમિશન પણ આપી શકાતી નથી. જેથી, સુપ્રિમ કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે કે, જનમાનસને થઈ રહેલી આ પરિસ્થિતિમાંથી છૂટકારો અપાવવા માટે ન માત્ર દિલ્હી પોલીસ, પરંતુ ભારત સરકાર અને દિલ્હી પોલીસને સૂચના જાહેર કરવામાં આવે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news