પ્રમોશનમાં અનામત: SCએ અનામત આપવાનો અધિકાર છોડ્યો રાજ્ય સરકારો પર, જાણો વિગતવાર

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવાનો અધિકાર રાજ્ય સરકાર પર છોડી દીધો છે.

પ્રમોશનમાં અનામત: SCએ અનામત આપવાનો અધિકાર છોડ્યો રાજ્ય સરકારો પર, જાણો વિગતવાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવાનો અધિકાર રાજ્ય સરકાર પર છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટે જા મામલે વર્ષ 2006માં અપાયેલા ચુકાદાને પલટવાની કે 7 જજોની પેનલમાં મોકલવાની ના પાડી દીધી છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે જો રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા માંગે તો તે સ્વતંત્ર છે. 

સુપ્રીમ કોર્ટે આ અંગે આજે કહ્યું કે રાજ્યએ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ (SC/ST)વાળા લોકોને પદોન્નતિમાં અનામત માટે તેમના પછાતપણા પર આંકડા ભેગા કરવાની જરૂર નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલ દ્વારા કોર્ટેના વર્ષ 2006માં અપાયેલા ચુકાદા પર પુર્નવિચાર કરવાની અરજી અંગે આ વાત કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં SC/STને પદોન્નતિમાં અનામત આપતા પહેલા આંકડા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. 

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે SC/ST સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત રહ્યો છે. SC/STમાં પછાતપણાને સાબિત કરવાની જરૂર નથી. એટોર્ની જનરલે કહ્યું હતું કે 1000 વર્ષથી SC/ST જે ભોગવી રહ્યાં છે તેને સંતુલિત કરવા માટે SC/STને અનામત આપવામાં આવી છે. આ લોકો આજે પણ ઉત્પીડનનો શિકાર થઈ રહ્યાં છે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 2006માં નાગરાજ મામલે આવેલો ચુકાદો ST/SC કર્મચારીઓના પ્રમોશનમાં અનામત આપવામાં વિધ્નો નાખી રહ્યો છે. આથી આ ચુકાદા પર ફરીથી વિચારણા કરવાની જરૂર છે. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ ચુકાદામાં અનાપત આપવા માટે અપાયેલી શરતો પર દરેક કેસ માટે અમલ કરવો વ્યવહારિક રીતે શક્ય નથી.કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2006માં આવેલા આ ચુકાદામાં કહેવાયું હતું કે પ્રમોશનમાં અનામત આપતા પહેલા એ સાબિત કરવું પડશે કે સેવામાં SC/STનું પુરતું પ્રતિનિધિત્વ નથી અને તેના માટે ડેટા આપવો પડે. 

આ અગાઉ પક્ષકારોના વકીલ શાંતિ ભૂષણે નાગરાજના ચુકાદા પર પુર્નવિચારને લઈને કેન્દ્ર સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ વોટબેંકનું રાજકારણ છે જે મુદ્દાને રાજકીય બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે પદોન્નતિમાં કલમ 16(4) હેઠળ સંરક્ષિત નથી, જ્યાં ક્રીમી લેયરની અવધારણા કરવામાં આવશે. ભૂષણે કહ્યું હતું કે સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં SC/ST માટે કોટા અનિવાર્ય કરવાની અનુમતિ આપી શકાય નહીં અને તે બંધારણની મૂળ સંરચનાનો ભંગ કરશે. ભૂષણે નાગરાજના ચુકાદાને ન્યાયસંગત ગણાવતા કહ્યું હતું કે શું SC/ST માટે સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં અનામત વિવિધ કેડરો કે સેવાઓમાં તેમના પ્રતિનિધિત્વના અપર્યાપ્ત ડેટા વગર આપી શકાય છે?

પહેલા પ્રમોશનમાં અનામત આપવા માટે હતી આ શરતો
વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીને પ્રમોશનમાં અનામત આપવાના અધિકાર રાજ્ય સરકારને આપ્યા હતાં. જો કે આ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રમોશનમાં અનામતની વ્યવસ્થા લાગુ કરતા પહેલા રાજ્યોમાં તેમના પછાતપણા, સરકારી સેવાઓમાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ અને સંપૂર્ણ પ્રશાસનિક દક્ષતા સંબંધિત કારણોની જાણકારી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સરકાર SC/STને પ્રમોશનમાં અનામત ત્યારે જ આપી શકે જ્યારે ડાટા આધારે નક્કી થાય કે તેમનું પ્રતનિધિત્વ ઓછુ છે. અને તે પ્રશાસનની મજબુતી માટે જરૂરી છે. રાજ્ય સરકારો બંધારણની કલમ 16 4A અને કલમ 16 4બી હેઠળ SC/ST કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે. પરંતુ 2006માં સુપ્રીમ કોર્ટે આ જોગવાઈઓના ઉપયોગની શરતોને કડક બનાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આ શરતોને હટાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news