Surya Grahan 2022: સૂર્યગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવું જોઈએ? ખાસ જાણો આ મોટું કારણ

આજે 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. ગ્રહણના કારણે જ આ વર્ષે ગોવર્ધન પૂજા 26 તારીખે અને યમ દ્વિતિયા 27 તારીખે ઉજવાશે. સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. ધાર્મિક પુરાણો મુજબ એવું માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Surya Grahan 2022: સૂર્યગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવું જોઈએ? ખાસ જાણો આ મોટું કારણ

આજે 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. ગ્રહણના કારણે જ આ વર્ષે ગોવર્ધન પૂજા 26 તારીખે અને યમ દ્વિતિયા 27 તારીખે ઉજવાશે. સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. ધાર્મિક પુરાણો મુજબ એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિ ગ્રહણકાળ દરમિયાન કઈ પણ ખાય તો તેણે પેટની સમસ્યાઓ સામે ઝઝૂમવું પડે છે. 

કેમ ન કરવું જોઈએ ભોજન
હિન્દુ ધર્મમાં એવું માને છે કે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ બંને દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. જો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યગ્રહણ સમયે વાતાવરણમાં આવનારી Ultra Violet rays ભોજનને ખરાબ કરે છે. આથી રાંધેલા ભોજન પર કુશ (એક પ્રકારનું ઘાસ) નાખવાની સલાહ અપાય છે. 

સ્નાન કરીને કરવું જોઈએ ભોજન
ગ્રહણ બાદ સ્નાન કરીને ભોજન કરવાનું કહેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ગ્રહણ દરમિયાન જે જીવાણુ વાતાવરણમાં હોય છે તેઓ તમારા શરીર પર ચોંટી જાય છે. જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તે જીવાણું તમારા શરીરમાંથી નીકળી જાય છે. 

આ વીડિયો પણ જુઓ

ભોજનમાં કુશ કે તુલસીનું પાંદડું નાખો
તમે હંમેશા તમારા દાદી કે નાની કે અન્ય વડીલોના મુખથી સાંભળ્યું હશે કે સૂર્યગ્રહણ છે તો કશું ખાવું નહીં. ગ્રહણ સમયે ભોજન, દહીં, ચટણી, અથાણું વગેરેમાં કુશ નાખવામાં આવે છે. લોકો એવું માને છે કે આમ કરવાથી ભોજન દુષિત થતું નથી. જો તમારી પાસે કુશ ન હોય તો તમે રાંધેલા ભોજનમાં તુલસીનું પાંદડું પણ નાખી શકો છો. જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય ત્યારે તેને કાઢીને બહાર ફેંકી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news