Lalu Yadav Health Update: લાલૂ પ્રસાદ યાદવને સારવાર માટે દિલ્હી ખસેડાયા, ખભામાં છે ફ્રેક્ચર

Lalu Yadav News: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલૂ યાદવ જલદી સાજા થાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનામાં હોસ્પિટલ પહોંચી મુલાકાત પણ કરી હતી. 
 

Lalu Yadav Health Update: લાલૂ પ્રસાદ યાદવને સારવાર માટે દિલ્હી ખસેડાયા, ખભામાં છે ફ્રેક્ચર

નવી દિલ્હીઃ આરજેપી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ સારી સારવાર માટે પટનાથી દિલ્હી પહોંચી ગયા છે. તે એર એમ્બ્યુલન્સથી રાત્રે આશરે 10 કલાકે દિલ્હી પહોંચ્યા છે. આ પહેલા લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા હતા. લાલૂ યાદવની આ પહેલા પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ આઈસીયૂમાં દાખલ હતા. 

તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ જલદી સાજા થાય તે માટે દુવાઓ પણ થઈ રહી છે. પોતાના નેતા જલદી સાજા થાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર લાલૂ પ્રસાદની તબીયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન નીતીશ કુમારે ત્યાં પર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્ર તેજપ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ અને પુત્રી મીસા ભારતી સાથે વાતચીત કરી હતી. નીતીશ કુમારે કહ્યુ કે, તેમને તબીયત ખરાબ હોવાની જાણકારી મળી, અમે વાતચીત કરી માહિતી મેળવી છે. લાલૂ યાદવની તબીયત વધારે ખરાબ થતા આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

તેજસ્વી યાદવે પિતાની તબીયત પર આપી માહિતી
લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યુ કે, તેમના પિતાની તબીયતમાં સુધાર છે અને હવે દિલ્હીમાં તેમની સારવાર થશે. તેમણે કહ્યું કે, તમને લોકોને પહેલાથી ખ્યાલ છે કે તેમને સારવાર માટે સિંગાપુર લઈ જવાના હતા, પરંતુ હવે ફ્રેક્ચર થઈ ગયું છે તથા સ્વાસ્થ્ય સંબંધી અન્ય જટિલતાઓની પણ સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં ડોક્ટરો કહેશે તો અમે તેમને સારી સારવાર માટે બહાર પણ લઈ જશું. પરિવારના એક સૂત્રએ કહ્યુ કે લાલૂ યાદવ ઓક્સીજન સપોર્ટ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news