રાશનકાર્ડ ધારકોને મોટી ભેટ, સરકારે કરી આ જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ

Free Ration Scheme: ફ્રી રાશન લાભાર્થીઓ માટે સરકારે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. સરકારે મોંઘવારીને જોતાં ખાંડના ભાવ ઘટાડાવાનો નિર્ણય કર્યો છે.

રાશનકાર્ડ ધારકોને મોટી ભેટ, સરકારે કરી આ જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ

Ration Card Update: રાશન કાર્ડધારકો માટે જોરદાર ખુશખબરી છે. જો તમે પણ રાશન કાર્ડધારક (Ration Card Holder) છો તો તમારી દિવાળી (Diwali 2022) આ વખતે શાનદાર રહેશે. તાજેતરમાઅં જ કેન્દ્ર સરકારે ફ્રી રાશન યોજનાને ડિસેમ્બર સુધી વધારી દીધી છે. ત્યારબાદ રાજ્ય સરકારો પણ કાર્ડધારકો માટે જાહેરાત કરી રહી છે. આ ક્રમમાં હવે સરકારે ખાંડના ભાવને ઓછા કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહી તમને 100 રૂપિયામાં કરિયાણાનો સામાન મળી જશે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ. 

ખાંડ માટે આપશે આટલા રૂપિયા
સરકારે વધતી જતી મોંઘવારીને જોતાં ખાંડના ભાવને ઓછા કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તમારે ખાંડ માટે હવે બસ પ્રતિ કિલો 20 રૂપિયા ચૂકવવા પડશે. અંત્યોદય કાર્ડ ધારકોને સરકારની આ જાહેરાતનો લાભ મળશે. સરકારે આ જાહેરાથી કાર્ડ ધારકોને વધતી જતી મોંઘવારીમાં રાહત મળશે. તહેવારની સિઝનમાં સરકાર તરફથી આપવામાં આવી રહેલી આ સુવિધાથી ફ્રી રાશનનો લાભ ઉઠાવી રહેલા લોકોમાં ખુશી છે અને તેમનું કહેવું છે કે સરકારે આ જાહેરાતથી દિલ જીતી લીધું છે.  

સરકારે કરી જાહેરાત
કેન્દ્ર સરકારની જાહેરાતની સાથે રાજ્ય સરકારે પણ દિવાળીની ભેટ આપી છે. તહેવારના અવસર પર મહારાષ્ટ્ર સરકારે રાશનકાર્ડ ધારકો માટે ખાસ જાહેરાત કરી છે. તેના અંતગર્ત સરકારે તમને ફક્ત 100 રૂપિયામાં કરિયાણું આપી રહી છે. તેમાં તમને 100 રૂપિયામાં એક કિલો સોજી, ખાદ્ય તેલ, પીળી દાળ અને મગફળી મળશે. કેન્દ્ર સરકારની ફ્રી રાશન યોજના ડિસેમ્બર સુધી વધાર્યા બાદથી જ્યાં દેશભરમાં કાર્ડધારકોમાં ખુશીની લહેર છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાતથી પ્રદેશન રાશન કાર્ડધારકોની દિવાળીને વધુ જગમગાવી દીધી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news