રામદેવને નથી મોદીની જીત પર વિશ્વાસ, કહ્યું આગામી PM અંગે ભારે અવઢવ

તમિલનાડુના મદુરૈમાં મીડિયાના સવાલ અંગે બાબાએ કહ્યું કે, આગામી વડાપ્રધાન કોણ હશે તે અંગે કહી શકાય નહી

રામદેવને નથી મોદીની જીત પર વિશ્વાસ, કહ્યું આગામી PM અંગે ભારે અવઢવ

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ બદલાઇ રહેલ રાજકીય વાતાવરણમાં યોગુગુરૂ બાબા રામદેવે કહ્યું કે, દેશની રાજનીતિક પરિસ્થિતી ખુબ જ મુશ્કેલ છે. તે ન કહી શકાય કે તે ખુબ જ મુશ્કેલ છે. અહીં કહેવામાં ન આવી શકાય કે આગામી વડાપ્રધાન કોણ હશે. તમિલનાડુના મદુરૈમાં મીડિયાને સંબોધિત કરતા રામદેવે કહ્યું કે, રાજનીતિક પરિસ્થિતી ખુબ જ મુશ્કેલ છે. અમે કહી શકીએ નહી કે આગામી વડાપ્રધાન કોમ હશે. હું રાજનીતિ પર ધ્યાન કેન્દ્રીત નથી કરી રહ્યો, ન તો હું કોઇનું સમર્થન કરૂ છું અને ન તો કોઇ પણ વ્યક્તિનો વિરોધ કરી રહ્યો છું. 

યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે, અમારૂ લક્ષ્ય સાંપ્રદાયિક અથવા હિંદુ ભારત બનાવવાનું નથી, અમે ભારત અને વિશ્વને આધ્યાત્મિક બનાવવા માંગીએ છીએ. રામદેવે નિવેદનમાં હાલના રાજનીતિક સ્થિતીને જોડીને દેખાઇ રહ્યું છે, જેમાં વિપક્ષી દળ કોંગ્રેસે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં હિંદી પટ્ટીના રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને માત આપતા સત્તામાં પરત આવ્યા છે. 

યોગગુરૂ બાબા રામદેવ રાજનીતિક, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પોતાનું સ્પષ્ટ મંતવ્ય મુકવા માટે જાણીતા છે. થોડા મહિનાઓ પહેલા તેમણે દેશની અર્થવ્યવસ્થા અંગે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, રૂપિયો જ નહી પરંતુ દેશની શાખ પણ નીચે પડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news