Coronavirus 2nd Wave: શું ફરીથી આવશે લોકડાઉન? PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી પીએમ મોદી (PM Modi) ની આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થઈ શકે છે. 
Coronavirus 2nd Wave: શું ફરીથી આવશે લોકડાઉન? PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી પીએમ મોદી (PM Modi) ની આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થઈ શકે છે. 

બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
પીએમ મોદી (PM Modi)  સાથે થનારી બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા પર ચર્ચા થશે. કોરોના વાયરસ (Corona Virus) રસીકરણ શરૂ થયા બાદ પીએમ મોદી પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન રસીકરણમાં ઝડપ લાવવા અને તેમાં આવનારી સમસ્યાઓ ઉપર પણ ચર્ચા થઈ શકે છે. 

કોરોનાની બીજી લહેરની શરૂઆત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ટ્રેકિંગ, ટેસ્ટિંગ, અલગ અલગ મામલા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જરૂરી છે. 

મહારાષ્ટ્રમાં રિપ્રોડક્શન નંબર 1.34
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું રિપ્રોડક્શન (પ્રજનન) નંબર કે આર નંબર 1.34 છે. આર નંબરનો અર્થ છે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાયરસ ફેલાવવાની ક્ષમતા કેટલી છે. જો આ નંબર એકથી વધુ હોય તો મહામારી વધવાની આશંકા વધુ રહે છે. અહીં જો કોરોનાના કેસ ઘટાડવા હોય તો આર નંબરને 1 થી નીચે લાવવો પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નાગપુર, ઔરંગાબાદ, અમરાવતી, થાણે, અને મુંબઈમાં સૌથી વધુ છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 17થી વધુ નવા કેસ
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17864 નવા કેસ સામે આવ્યા. જ્યારે 87 દર્દીઓના મોત થયા. આ વર્ષે પ્રતિદિન સામે આવતા કેસમાં આ આંકડો સૌથી વધારે છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 23,47,328 થઈ છે જ્યારે મૃતકોની સંખ્યા  52,996 થઈ છે. રાજ્યામાં હાલ 1,38,813 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 21,54,253 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news