પીએમ મોદી 24 એપ્રિલના રોજ કરશે દેશના સરપંસો સાથે સંવાદ, લોન્ચ થશે સ્વામિત્વ યોજના

કોરોના (Corona)ના કોહરામ વચ્ચે પીએમ મોદી દેશના સરપંચો સાથે સંવાદ કરશે. આ સંવાદ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા 24 એપ્રિલના કરવામાં આવશે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, શુક્રવારના રાષ્ટ્રિય પંચાયતી રાજ દિવસના અવસર પર વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા હું દેશભરના સરપંચોની સાથે સંવાદ કરશે. મને આ વાતચીતની પ્રતીક્ષા રહેશે.
પીએમ મોદી 24 એપ્રિલના રોજ કરશે દેશના સરપંસો સાથે સંવાદ, લોન્ચ થશે સ્વામિત્વ યોજના

નવી દિલ્હી: કોરોના (Corona)ના કોહરામ વચ્ચે પીએમ મોદી દેશના સરપંચો સાથે સંવાદ કરશે. આ સંવાદ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા 24 એપ્રિલના કરવામાં આવશે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, શુક્રવારના રાષ્ટ્રિય પંચાયતી રાજ દિવસના અવસર પર વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા હું દેશભરના સરપંચોની સાથે સંવાદ કરશે. મને આ વાતચીતની પ્રતીક્ષા રહેશે.

24 એપ્રિલના આ વીડિયો કોન્ફ્રેન્સિંગ દરમિયાન E-GramSwaraj પોર્ટલ અને મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ સ્વામિત્વ ભારત યોજના પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં વિકાસના પ્રયાસોને ગતિ મળશે.

તમને જણાવી દઇએ કે પહેલા સમાચાર આવ્યા હતા કે પીએમ મોદી કોરોનાની સ્થિતિ પર તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે. આ વાતચીત 27 એપ્રિલના વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થશે.

ત્રીજી વખત જ્યારે પીએમ મોદી કોરોનાની સ્થિતિ પર તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ પર વાત કરશે. તે દરમિયાન લોકડાઉનની પણ સમીક્ષા કરવામાં આવશે. આ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, લોકડાઉન પર કોઈ નવો નિર્ણય આવી શકે છે.

કોરોના વાયરસના સંક્રમણથી છેલ્લા 24 કલાક દરમિયાન 50 લોકોની મોત થયા છે અને તે દરમિયાન સંક્રમણના 1383 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે  જાણકારી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news