'મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું ત્રીજીવાર સરકાર પાડી દેવાનો પ્રયત્ન'

હારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવાનું નિવેદન આવી ગયું છે. શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આવું ત્રીજીવાર થઈ રહ્યું છે. આ અગાઉ પહેલાં પણ બે વાર આવી સ્થિતિ ઉભી થઈ હતી. એનસીપીમાં કોઈ બગાવત નથી. છેલ્લાં અઢી વર્ષથી સરકાર બરોબર ચાલી રહી છે.

'મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું ત્રીજીવાર સરકાર પાડી દેવાનો પ્રયત્ન'

Maharashtra Political Crisis Updates: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. MLC ચૂંટણીમાં ક્રોસ વોટીંગ બાદ મંત્રી અને શિવસેનાના સીનિયર નેતા એકનાથ શિંદે ગુજરાત જતા રહ્યા છે. શિંદેનો દાવો છે કે તેમને 20 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. એકનાથ શિંદેનું પગલું શું હશે? તેના વિશે તે બપોરે પત્રકાર પરિષદ કરીને જણાવશે. આ પહેલાં મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હલચલ મચી તેજ થઇ ગઇ છે. 

મહારાષ્ટ્રના રાજકારણના સંકટ પર બોલ્યા શરદ પવાર
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવાનું નિવેદન આવી ગયું છે. શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આવું ત્રીજીવાર થઈ રહ્યું છે. આ અગાઉ પહેલાં પણ બે વાર આવી સ્થિતિ ઉભી થઈ હતી. એનસીપીમાં કોઈ બગાવત નથી. છેલ્લાં અઢી વર્ષથી સરકાર બરોબર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હાલ બદલાવની કોઈ જ જરૂર નથી. મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ એક રાજકીય ષડયંત્ર છે. અમારા ધારાસભ્યોએ કોઈપણ પ્રકારનું ક્રોસ વોટિંગ કર્યું નથી. હું આશ્વાસન આપું છું કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને કોઈ ખતરો નથી, ડરવાની કોઈ જરૂર નથી. 

એટલું નહીં ઉદ્ધવ સરકારનું પતન થાય તો પણ ભાજપ સાથે ન જવાના સંકેત એનસીપી અધ્યક્ષ શરદ પવારે આપી દીધાં છે. એટલું નહીં શરદ પવારે એ પણ જણાવ્યુંકકે, એકનાથ શિંદેની નારાજગી એનસીપીથી નહીં પણ શિવસેનાથી છે. આ મામલે અમે શિવસેનાના નિર્ણયની સાથે રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ થવાની છે. એક તરફ એકનાથ શિંદેએ પોતાની શરત મૂકશે, બીજી તરફ શરદ પવાર મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય સંકટને લઇને વાત કરશે. 

શિવસેનામાં પડી ફૂટ
સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં મોટી ફૂટ પડી ગઇ છે. શિવસેનામાં નંબર બેના નેતા એકનાથ શિંદે પોતાની પાર્ટીથી થોડા દિવસોથી નારાજ છે અને સોમવારે વિધાન પરિષદમાં મતદાન કર્યા બાદ તે પોતાના સમર્થક ધારાભ્યો સુરત નિકળી ગયા, જેના લીધે મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં છે. 

આ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થયા બાદ શિવસેના નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કેટલાક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જોકે આ સાથે જ તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી, સરકાર માટે કોઇ વાવાઝોડું કે ભૂકંપ આવશે નહી. 

સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપને સફળતા મળી નથી. તેમણે કહ્યું કે ભાજપ પહેલાં પણ હાથ અજમાવી ચૂકી છે, પરંતુ સફળતા ન મળી અને આ વખતે પણ સફળતા મળી નથી. મહારાષ્ટ્ર સરકારને હલવા નહી દે અને જલદી જ તમામ ધારાસભ્યો પરત આવી જશે.  

તમને જણાવી દઇએ કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિવસેનાના 35 ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં નથી. શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પણ શિવસેનાનો સંપર્ક થઇ રહ્યો નથી. જે ગુજરાતના સુરતની હોટલમાં રોકાયેલા છે. આ ઉપરાંત પાર્ટેના અન્ય 34 ધારાસભ્યો સાથે પણ સંપર્ક થઇ રહ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news