ખેડૂતોની મહાપંચાયતમાં PM મોદી વિરૂદ્ધ નારેબાજી, ભાજપે કહ્યું- ભટકી ગયું આંદોલન

દેશના નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર (Muzaffarnagar) માં મહાપંચાયત (Kisan Mahapanchayat) નું આયોજન થયું.

ખેડૂતોની મહાપંચાયતમાં PM મોદી વિરૂદ્ધ નારેબાજી, ભાજપે કહ્યું- ભટકી ગયું આંદોલન

નવી દિલ્હી: દેશના નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર (Muzaffarnagar) માં મહાપંચાયત (Kisan Mahapanchayat) નું આયોજન થયું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરૂદ્ધ જોરદાર નારેબાજી થઇ. આ દરમિયાન યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ નિશાન બનાવવામાં આવી. શહેરના GIC મેદાનમાં લાગેલા જમાવડામાં ઘણા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ હાજર છે. 

આયોજન સ્થળ પર ભારે ભીડથી ગદગદ રાકેશ ટિકૈત (Rakesh Tikait) એકવાર ફરી આંદોલન તેજ કરવાની ચેતાવણી આપી છે. તો બીજી તરફ ભારતીય કિસાન યૂનિયન (BKU) ના અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈત સહિત અનેક ખાપોના ચૌધરી પંચાયત સ્થળ પર હાજર રહ્યા. તો બીજી તરફ બીજેપી (BJP) નું કહેવું છે કે ખેડૂત આંદોલન ભટકી ગયું છે. 

સેલ ફોર ઇન્ડીયાના બોર્ડ લાગ્યા: ટિકૈત
પશ્વિમી ઉત્તર પ્રદેશમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ના ફક્ત ખેતી-કિસાની નહી પરંતુ ખાનગીકરણ, બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર વિરૂદ્દ આંદોલનનું આહવાન કર્યું. ટિકૈતે કહ્યું કે અડિયલ સરકારે ઝુકાવવા માટે વોટની જરૂર છે. રાકેશ ટિકૈતે કહ્યું કે 'દેશ બચશે, ત્યારે સંવિધાન બચશે. સરકારે રેલ, તેલ અને એરપોર્ટ વેચી દિધા છે. કોણે સરકારને હક આપ્યો. આ વિજળી વેચશે અને પ્રાઇવેટ કરશે. રોડ વેચશે અને રસ્તા પર ચાલનાર આપણા લોકો પાસે ટેક્સ પણ વસૂલશે. 

ભારતીય કિસાન યૂનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતએ દિલ્હી બોર્ડર પર ખેડૂતોને લઇને પણ વાત કહી. તેમણે કહ્યું કે ભલે ત્યાં અમારી કબર બની જાય, પરંતુ અમે ત્યાંથી જઇ શું નહી. તેમણે કહ્યું કે 'અમે તમારી પાસેથી વચન લઇને જઇએ છીએ જો ત્યાં પણ અમારી કબર બનશે તો પણ અમે મોરચો છોડશું નહી. જીત્યા વિના પરત જઇશું નહી. 

આંદોલન ભટકી ગયું: BJP
આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આ ખેડૂતોની સંખ્યા મોટી મહાપંચાયત છે. તો બીજી તરફ ભાજપે પીએમ મોદી અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પંચાયતમાં નારેબાજી ખોટી ગણાવતાં કહ્યું કે આંદોલન ભટકી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news