શિવસેનાના મોટા ભાઇના નિવેદન અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, BJP અસહાય પાર્ટી નથી

શિવસેનાએ સોમવારે કહ્યું કે, અમે ભાજપની સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ પરંતુ મહારાષ્ટ્રમાં અમે હંમેશા મોટા ભાઇની ભુમિકામાં રહીશું

શિવસેનાના મોટા ભાઇના નિવેદન અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, BJP અસહાય પાર્ટી નથી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનાં ગઠબંધન બાદ શિવસેનાએ ભાજપ સાથે વણસેલા સંબંધોમાં નરમી લાવવાનો સંકેત આપ્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સોમવારે સાંસદો સાથેની બેઠક બાદ કહ્યું કે, અમે ભાજપ સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ પરંતુ મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ છીએ, હંમેશા રહીશું. તે અનુસાર જ રાજ્ય અને દેશની રાજનીતિ કરીશું. 

રાઉતનાં આ નિવેદન અંગે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે ગઠબંધન ઇચ્છીએ છીએ પરંતુ અસહાય નહી. ફડણવીસે કહ્યું કે, અમે રાષ્ટ્રનાં વિકાસ માટે ગઠબંધન ઇચ્છીએ છીએ.અમે દેશને લૂંટનારાઓને સત્તામાં આવવાની તક આપવા નથી ઇચ્છતા. અમે ગઠબઁધ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ. જો કે ભાજપ અસહાય નથી. ભાજપે 2થી માંડીને 200 ધારાસભ્યોએ મુસાફરી કરી છે. 

prakash javdekar

બીજી તરફ શિવસેના સાથે ગઠબંધનના સવાલ પર ભાજપના એક અન્ય નેતા તથા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, થોડી રાહ જુઓ. લોકસભા ચૂંટણીનાં થોડા જ મહિનાઓ બાકી છે ભાજપે શિવસેના સાથે વણસેલા સંબંધો છતા ગઠબંધન દ્વારા ખોલેલા છે. શિવસેના સાથે ગઠબંધન અંગે એક સવાલનાં જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકર કહ્યું કેસ શિવસેના એનડીએનો હિસ્સો છે અને સરકારમાં પણ તેમનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, અમે 2014ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડ્યા હતા. અમે મહારાષ્ટ્રમાં સરકારમાં સહયોગી છીએ અને રાષ્ટ્રીય સ્તર પર પણ સરકારમાં છીએ. 

જાવડેકરે કહ્યું કે, ગત્ત લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા. ત્યારે ભાજપ 26 સીટો પર અને શિવસેના 22 સીટો પર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આ ગઠબંધને 48માંથી 41 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપ નેતાએ કહ્યું કે, આ વર્ષે લોકસભા ચૂંટણી માટે થોડી રાહ જુઓ.

લાંબા સમયથી ભાગીદારભાજપ અને શિવસેનામાં 2014 તક સમજ હતી કે ભાજપ રાજ્યમાં લોકસભાની વદારે સીટો પર ચૂંટણી લડતી હતી અને શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની વદારે સીટો પર ચૂંટણી લડતી હતી અને શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની વધારે સીટો પર ચૂંટણી લડતી હતી.

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં જો કે તે ગઠબંધન ખતમ થઇ ગયું જ્યારે ભાજપમાં મજબુત મોદી લહેર પર સવાલ  પેદા થઇને એકલા મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી અને 122 સીટો પર જીત પ્રાપ્ત કરી જ્યારે શિવસેનાને માત્ર 63 સીટો પર જીત મળી. બીજી તરફ મુંબઇમાં શિવસેનાએ સોમવારે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં હંમેશા મોટા ભાઇની ભુમિકામાં રહેશે અને ભાજપની તરફથી આ આશયનો કોઇ પ્રસ્તાવ નથી મળ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news