જાન્યુઆરીમાં ચંદ્રયાન-2 લોન્ચ કરીને ભારત રચશે ઈતિહાસ, ચંદ્રના આ ભાગ પર પહોંચનારો પ્રથમ દેશ બનશે

ઇસરોના ચેરમેને જણાવ્યું કે, જાન્યુઆરીમાં અમે અમારા મોટા અભિયાન ચંદ્રયાન-2ને જીએસએલવી એમકે-3-એમ1થી લોન્ડ કરશું. 
 

 જાન્યુઆરીમાં ચંદ્રયાન-2 લોન્ચ કરીને ભારત રચશે ઈતિહાસ, ચંદ્રના આ ભાગ પર પહોંચનારો પ્રથમ દેશ બનશે

નવી દિલ્હીઃ ભારત આગામી વર્ષે એટલે કે 2019માં જાન્યુઆરીમાં પોતાના મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન-2ને લોન્ચ કરી શકે છે. યોજના અનુસાર ભારત ચંદ્રયાન 2ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચાડશે. આમ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચી દેશે. 

— ANI (@ANI) August 28, 2018

ઇસરોના ચેરમેને આપી જાણકારી
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ચેરમેન સિવને મંગળવારે આ અભિયાનની જાણકારી આપતા જણાવ્યું કે, જાન્યુઆરી 2019માં અમે અમારા મોટા અભિયાન ચંદ્રયાન-2 જીએસએલવી એમકે-3-એમ1થી લોન્ચ કરશઉં. ઇસરોના ચેરમેને કહ્યું કે, અમે આ અભિયાન માટે દેશભરના નિષ્ણાંતો પાસે સમીક્ષા કરાવી અને તેમના વિચારો જાણ્યા છે. તે તમામ લોકોએ અમારા કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ઈસરો માટે અત્યાર સુધીનું સૌથી જટિલ અભિયાન છે. 

ચંદ્રયાન-2નું વધી ગયું વજન
ઇસરોના ચેરમેને કહ્યું કે, ચંદ્રયાન-2નું વજન વધીને 3.8 ટન થઈ ગયું છે. આ પહેલા જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (દીએસએલવી)થી લોન્ચ કરવું હતું પરંતુ હવે તેનાથી લોન્ચ કરવું શક્ય નથી. હવે અમે જીએસએલવી એમકે-3ને તેના માટે તૈયાર કરી રહ્યાં છીએ. લોન્ચનો વિન્ડો ત્રણ જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું કે, આ લગભગ પ્રથમ મિશન હશે જેના હેઠળ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પણ પહોંચી શકાશે. તેમણે કહ્યું કે, ચંદ્રના દક્ષિણી ધ્રુવથી 72 ડિગ્રી દક્ષિણમાં ચંદ્રયાન-2 લેન્ડ કરશે. 

— ANI (@ANI) August 28, 2018

પ્રથમ દેશ બનશે ભારત
અત્યાર સુધી અમેરિકા સહિત અન્ય દેશોએ અંતરિક્ષ અભિયાન ચાંદના દક્ષિણી ધ્રુવ માટે લોન્ચ કર્યા છે. પરંતુ આ તમામ ઓર્બિટર છે. મતલબ ચંદ્રની કક્ષામાં જ પરિક્રમા કરીને તેણે ત્યાંની તસ્વીરો લીધી હતી. પરંતુ કોઇ પણ ચંદ્રના આ ભાગ પર લેન્ડ થયું નથી. જો ભારત ચંદ્રયાન-2 લેન્ડ કરીને ત્યાં સુધી પહોંચવામાં સફળ થાય તો ભારત આમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. 

અભિયાનમાં ફેરફાર કરી રહ્યું છે ઇસરો
તમને જણાવી દઈએ કે આ  મહિને કહેવામાં આવ્યું હતું કે ઇસરો પોતાના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2માં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. પહેલા ઇસરો ચંદ્રયાન-2 અભિયાન હેઠળ ચંદ્ર પર એક શોધ યાન ઉતારવાની તૈયારી કરી રહ્યું હતું પરંતુ હવે આ અભિયાન હેઠળ ઇસરો આ શોધ યાનને ચંદ્ર પર ઉતારતા પહેલા તેને તેની કક્ષામાં સ્થાપિત કરશે. સંગઠન તેના માધ્યમથી તે શોધ યાનની બેટરી સહિત અન્ય ટેકનિક સિસ્ટમનું પરીક્ષણ કરશે. 

વાયુમંડળને સમજવાનો પ્રયત્ન
પહેલા ઇસરોને ચંદ્રયાન-2 અભિયાન હેઠળ શોધ યાનને ઓર્બિટરથી અલગ થયા બાદ સીધું ચંદ્રની પલટ પર ઉતારવાનું હતું. ત્યારબાદ ત્યાંની જમીન પર ચાલીને શોધ કરવી હતી. પરંતુ હવે આ નવી યોજનાના માધ્યમથી શોધ યાને ચંદ્ર પર ઉતારતા પહેલા તેની અંડાકાર કક્ષા અને વાયુમંડળને સમજવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. આ શોધ યાનના માધ્યમથી ઇસરો ચંદ્રના ઘણા રાજ જણાવી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news