વિશ્વમાં કોરોનાના સૌથી જોખમી 15 દેશોમાં ભારતનો સમાવેશ, ફરી લોકડાઉનનો ખતરો

 ભારતે હવે તે 15 દેશોમાં છે જ્યા લોકડાઉનમાં છુટછાટ આપવાને કારણે કોરોનાનાં કેસ વધવાનું જોખમ છે. આ વાત સિક્યોરિટી રિસર્ચ ફર્મ નોમુરા સિક્યોરિટી રિસર્ચ ફ્રમ નોમુરા (Nomura) નાં રિપોર્ટમાં આ આવાત સામે આવી છે. આ 15 દેશોમાં કોરોનાની લહેર ફરી એકવાર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિશ્વમાં કોરોનાના સૌથી જોખમી 15 દેશોમાં ભારતનો સમાવેશ, ફરી લોકડાઉનનો ખતરો

નવી દિલ્હી :  ભારતે હવે તે 15 દેશોમાં છે જ્યા લોકડાઉનમાં છુટછાટ આપવાને કારણે કોરોનાનાં કેસ વધવાનું જોખમ છે. આ વાત સિક્યોરિટી રિસર્ચ ફર્મ નોમુરા સિક્યોરિટી રિસર્ચ ફ્રમ નોમુરા (Nomura) નાં રિપોર્ટમાં આ આવાત સામે આવી છે. આ 15 દેશોમાં કોરોનાની લહેર ફરી એકવાર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નોમુરાએ આ રિસર્ચમાં 45 અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો. દેશોને 3 કેટેગરીમાં રાખવામાં આવી છે. પહેલી ઓન ટ્રેક, બીજી વોર્નિંગ સાઇન અને ત્રીજી ડેન્જર જોનની છે. ભારતને ડેંજર જોનમાં રાખવામાં આવી છે.
ઓન ટ્રેક : આ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, જાપાન, નોર્વે, સ્પેન, થાઇલેન્ડ, ઇટાલી, ગ્રીસ, રોમાનિયા, દક્ષિણ કોરિયા જેવા 17 દેશો છે. 

રાજસ્થાન ફરી એકવાર સીલ: 7 દિવસ સુધી બહારનાં રાજ્ય સાથેના તમામ વ્યવહાર બંધ
ડેંજર જોન : તેમાં કુલ 15 દેશ છે. જેમાં ભારત, ઇન્ડોનેશઇયા, ચિલી, પાકિસ્તાન, બ્રાજીલ, મૈક્સિકો જેવા દેશોનો સમાવેશ થાય છે. તેમાં કેટલીક સારી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો જેવા કે સ્વીડન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને કેનેડાનો પણ સમાવેશ થાય છે. 
વોર્નિંગ સાઇન : તેમા ડેનમાર્ક, ફિનલેન્ડ, હંગરી, આયરલેન્ડ, પોલેન્ડ, જર્મની, અમેરિકા, બ્રિટન જેવી 13 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર 17 દેશની અર્થવ્યવસ્થાઓ ટ્રેક પર છે. તેમાં વાયરસ ફરીથી આવવાનાં કોઇ જ સંકેત નથી. 13 દેશોમાં ચેતવણીના સંકેત દેખાયા છે. બીજીતરફ 15 દેશ સૌથી વધારે જોખમી ઝોનમાં છે. ત્યાં વાયરસનાં બીજી લહેર આવી શકે છે. 
બે પ્રકારની સ્થિતી સર્જાઇ શકે છે. 

અભ્યાસ અનુસાર લોકડાઉન હટાવવાથી બે પ્રકારની સ્થિતી સર્જાશે. પહેલા કોઇ દેશમાં ગતિવિધિઓ વધશે. કારોબાર ફરી એકવાર ચાલુ થશે, જો કે રોજિંદા નવા કેસમાં સામાન્ય વધાોર થશે. બીજા પરિણામ ખરાબ આવી શકે છે. તેમાં અર્થવ્યવસ્થાને ખોલવાથી રોજિંદા સંક્રમણનાં કેસ વધશે.જનતા વચ્ચે ડર ફેલાશે અને લોકોની ગતિવિધિઓ પણ પ્રભાવિત થશે. અહી લોકડાઉન ફરી એકવાર લાગુ કરવામાં આવી શકે છે. 

ભારતમાં 25 માર્ચે પહેલી લોકડાઉન લગાવવામાં આવી હતી, જે અલગ અલગ 4 ફેઝમાં 30 મે સુધી ચાલશે. હવે દેશોમાં મોલ, ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. એવામાં સંક્રમણના કેસ ઝડપથી વધવાનો ખતરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news