Corona Update: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યા જીવ

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.

Corona Update: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યા જીવ

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જ્યારે 723 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 43,071 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 955 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 

એક દિવસમાં 40 હજારથી ઓછા કોરોનાના નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39,796 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,05,85,229 પર પહોંચી ગયો છે. જ્યારે 4,82,071 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 42,352 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,97,00,430 પર પહોંચી છે. 

Total cases: 3,05,85,229
Total recoveries: 2,97,00,430
Active cases: 4,82,071
Death toll: 4,02,728

Total Vaccination: 35,28,92,046 pic.twitter.com/AKIFq1aiu4

— ANI (@ANI) July 5, 2021

24 કલાકમાં 723 દર્દીઓના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 723 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.  આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,02,728 પર પહોંચી ગયો છે. કોરોનાના ખાતમા માટે સૌથી મહત્વપૂર્ણ હથિયાર રસી ગણાઈ રહ્યું છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 35,28,92,046 ડોઝ આપવામાં આવ્યા છે. 

— ANI (@ANI) July 5, 2021

રવિવારે 15 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં રવિવારે કોરોનાના 15,22,504 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો 41,97,77,457 પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news