લ્યો બોલો...! વરઘોડામાં જાનૈયાને ન લઇ જવા પર વરરાજાને મળી 50 લાખની નોટિસ!

ઉત્તરાખંડના હરિદ્વારમાં કાર્ડ આપી લગ્નમાં બોલાવ્યા બાદ વરઘોડામાં ન લઇ જવા પર એક મિત્રએ બીજા મિત્ર દુલ્હાને 50 લાખ રૂપિયાની કાયદાકીય નોટિસ મોકલી છે. આ સાથે જ સાર્વજનિક રીતે માફી માંગવાની પણ માંગ કરી છે.

લ્યો બોલો...! વરઘોડામાં જાનૈયાને ન લઇ જવા પર વરરાજાને મળી 50 લાખની નોટિસ!

નવી દિલ્હી: કાર્ડ આપી લગ્નમાં બોલાવ્યા છતાં વરઘોડોમાં ન લઇ જવા પર એક મિત્રએ બીજા મિત્ર દુલ્હાને 50 લાખ રૂપિયાની કાયદાકીય નોટિસ મોકલાવી છે. સાંભળવામાં આ વાત થોડી રમુજી લાગશે પરંતુ આ હકિકત છે. આ મામલો ઉત્તરાખંડના હરિદ્વારનો છે. રવિએ તેના લગ્નનું કાર્ડ તેના મિત્ર ચંદ્રશેખરને આપ્યું. ચંદ્રશેખર લગ્નમાં શામેલ થવા પહોંચ્યો પરંતુ વરઘોડો તે પહેલા નિકળી ગયો હતો.

ચંદ્રશેખરે દુલ્હા રવિ સાથે ફોન પર વાત પણ કરી તો તેણે પોતાની ભૂલ સ્વિકારવાની જગ્યાએ કહ્યું કે વરઘોડો લઇને નિકળી ગયો છું, હવે તું પાછો જતો રે. સ્થળ પર ઉભેલા જાનૈયાઓએ લગ્નનું કાર્ડ વેચનાર મિત્ર ચંદ્રશેખરને ખરીખોટી સંભળાવી હતી. આ વાત ચંદ્રશેખરને દિલ પર લાગી આવી અને તેણે માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો.

આ મામલે ચંદ્રશેખરે તેના વકીલ અરૂણ ભદોરિયાનો સંપર્ક કર્યો અને સલાહ કરી વકીલના માધ્યમથી દુલ્હા રવિને નોટિસ મોકલી 3 દિવસની અંદર માફી માંગવા અને વળતરના 50 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. જો તે આ નહીં કરે તો કોર્ટમાં કેસ દાખલ કરવાની ચેતવણી પણ આપી હતી.

શું છે સમગ્ર મામલો
વકીલ અરૂણ કુમાર ભદોરિયાએ જણાવ્યું કે, 23 જૂનના હરિદ્વારના રહેવાસી રવિના લગ્ન બિજનૌરની અંજૂ સાથે નક્કી થયા હતા. દુલ્હા રવિએ તેના મિત્ર ચંદ્રશેખરને એક લિસ્ટ બનાવી આપ્યું અને તેને લગ્નના કાર્ડ વહેંચવા અને બધાને લગ્નમાં આવવા માટે નિમંત્રણ આપવા કહ્યું.

રવિના કહેવા પર ચંદ્રશેખરે મોના, કાકા, સોનુ, કન્હૈયા, છોટુ, આકાશ વગેરે આ તમામ લોકોને કાર્ડ વહેંચ્યા અને આગ્રહ કર્યો કે તમારે બધાએ 23 જૂનની સાંજે 5 વાગે લગ્ન માટે તમારી સુવિધા અનુસાર વાહનમાં આવવા માટે તૈયાર રહેવાનું છે અને લગ્નમાં આવવાનું છે. આ તમામ લોકો ચંદ્રશેખર સાથે સાંજે 4.50 વાગે નિર્ધારિત જગ્યા પર પહોંચી ગયા.

પરંતુ ત્યાં જઈને જાણવા મળ્યું કે, વરઘોડો નિકળી ગયો છે, જેના પર ચંદ્રશેખરે રવિને ફોન કર્યો તો રવિએ જણાવ્યું કે અમે લોકો નિકળી ગયા છે અને તમે લોકો પાછા જતા રહો. ચંદ્રશેખરનું કહેવું છે કે તેના કહેવા પર જે લોકો લગ્નમાં જવા માટે આવ્યા હતા, તે તમામ લોકોને ઘણું દુ:ખ થયું અને તે તમામ લોકોએ ચંદ્રશેખરને માનસિક ત્રાસ આપ્યો.

આ મામલે ચંદ્રશેખરે તેના એડવોકેટ અરૂણ ભદોરિયાના માધ્યમથી એક કાયદાકીય નોટિસસ રવિને મોકલાવી જેમાં ત્રણ દિવસની અંદર માનહાનિ માટે સાર્વજનિક રીતે માફી માંગવા અને 50 લાખ રૂપિયા વળતરની માંગણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news