સેનેટાઇઝર અને માસ્ક અનિવાર્ય વસ્તુમાં સામેલ, કાલાબજારી કે નફાખોરી પર થશે જેલ

સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં શુક્રવારે એન95 સહિત અન્ય માસ્ક અને સેનેટાઇઝરને જૂન સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણી લાવવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ ફેલવાની સાથે આ બંને વસ્તુઓના ઉત્પાદનોમાં ઘટાડો અને કાળાબજારીના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

સેનેટાઇઝર અને માસ્ક અનિવાર્ય વસ્તુમાં સામેલ, કાલાબજારી કે નફાખોરી પર થશે જેલ

નવી દિલ્હી: સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં શુક્રવારે એન95 સહિત અન્ય માસ્ક અને સેનેટાઇઝરને જૂન સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણી લાવવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ ફેલવાની સાથે આ બંને વસ્તુઓના ઉત્પાદનોમાં ઘટાડો અને કાળાબજારીના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર ઉત્પાદન અનિવાર્ય વસ્તુ શ્રેણીમાં જૂન સુધી રહેશે. 

આ પગલાનો હેતુ લોકોને માસ્ક અને સેનેટાઇઝર વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો અને જમાખોરી તથા કાળાબજારી નાથવાનો છે. સરકારે અનિવાર્ય વસ્તુ અધિનિયમ હેઠળ આદેશને જાહેર કર્યો છે. તેમાં માસ્ક જેવા 2 પ્લાઇ અને 3 પ્લાઇ સર્જિકલ માસ્ક, એન95 માસ્ક અને હાથ સાફ કરવામાં ઉપયોગ થનાર સેનેટાઇઝરને 30 જૂન 2020 સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. 

આ નિર્ણયથી કેન્દ્ર સાથે-સાથે રાજ્યોને માસ્ક અને સેનેટાઇઝરના ઉત્પાદન, ગુણવત્તા અને વિતરણનું નિયમન કરી શકશે. સાથે જ તેનાથી વેચાણ અને ઉપલબ્ધતા સુચારુ રહેશે અને સટોડિયાના વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકશે. કોરોના વાયરસ ફેલાવવાના કારણે માસ્ક અને સેનેટાઇઝરની ડિમાન્ડ વધવાની સાથે બજારમાં તે ઉપલબ્ધ ન થતાં અથવા ઉંચા ભાવે વેચાવવાના સમાચાર બાદ આ પગલું ભર્યું છે. અનિવાર્ય વસ્તુ અધિનિયમન હેઠળ ગરબડી કરતાં સાત વર્ષની જેલની જોગવાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news