સારા સમાચાર: 15 રાજ્યોના આ 25 જિલ્લામાં 14 દિવસથી સામે આવ્યો નથી કોરોનાનો કેસ

દેશભરમાં કોરોના વાયરસ  (coronavirus)ના વધતા જતા કેસ વચ્ચે સોમવારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા આજે જણાવવામાં આવ્યું કે દેશના 15 રાજ્યોના 25 જિલ્લા જે કોરોના સંક્રમણથી પ્રભાવિત હતા અને જ્યાં સંક્રમણ ફેલાઇ રહ્યું હતું,

સારા સમાચાર: 15 રાજ્યોના આ 25 જિલ્લામાં 14 દિવસથી સામે આવ્યો નથી કોરોનાનો કેસ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ  (coronavirus)ના વધતા જતા કેસ વચ્ચે સોમવારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા આજે જણાવવામાં આવ્યું કે દેશના 15 રાજ્યોના 25 જિલ્લા જે કોરોના સંક્રમણથી પ્રભાવિત હતા અને જ્યાં સંક્રમણ ફેલાઇ રહ્યું હતું, ત્યાં ગત 14 દિવસથી એક પણ સંક્રમણનો નવો કેસ સામે આવ્યો નથી. એક તરફ આ જિલ્લાઓમાં સંક્રમણના ફેલાવાને કાબૂ કરવામાં સફળતા મળી છે. આ દેશ માટે એક મોટા એક રાહતભર્યા સમાચાર છે.  

જોકે ગઇકાલે એટલે કે 12 એપ્રિલના રોજ આ સમાચાર સામે આવ્યા હતા કે ગત 4 દિવસોમાં દેશના 80 જિલ્લાઓમાં જૂનું સંક્રમણ ફેલાયેલું છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ સંક્રમણના ફેલાવા વચ્ચે સારા સમાકહર આવ્યા છે કે જે જિલ્લાઓમાં તેને રોકવા માટે પહેલાં જ પગલાં ભર્યા હતા, તેની અસર જોવા મળી રહી છે. ઓછામાં ઓછા 25 જિલ્લાઓમાં સંક્રમણને ફેલાતું રોકવામાં આવ્યું. 

ગત 24 કલાકમાં કોરોના વાયરસથી 51 લોકોના મોત થયા છે. આ અત્યાર સુધીનો મોટો આંકડો છે. દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 9352 થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી 324 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશના 400 જિલ્લા હજુ સુધી કોરોના સંક્રમણથી પ્રભાવિત થઇ ચૂક્યા છે.  

આઇસીએમઆર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ગઇકાલ સુધી બે લાખ 6 હજાર 213 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઇસીએમઆર દ્વારા દેશને વિશ્વાસ અપાવ્યો કે ચિંતાની કોઇ જરૂર નથી. સરકારે વધુમાં વધુ લોકોના સેમ્પલ ટેસ્ટ કરવાની રણનિતી પણ બનાવી છે જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news